નિઃસ્વાર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ

      નિઃસ્વાર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કે, જે કોરોના કાળથી નિસ્વાર્થ ભાવે સેવા કરતુ આવે છે. અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. નિસ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જસદણ સરકારી હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ માટે સવાર સાંજ નાસ્તો આપવામાં આવે છે ત્યારે આ સેવામા દતાઓ દ્વારા પણ સહયોગ આપવા આવે છે.

હાલ સરકારી હોસ્પીટલમાં નાના બાળકો માટે કાચની પેટી, વોટર કૂલર તેમજ સારવાર માટે આવતા દદીઁઓને બેસવા માટે બાકડા નો સહયોગ મળેલ તે બદલ દાતાઓના હસ્તે અર્પણ કરેલ સાથે દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં. સરકારી હોસ્પીટલના કર્મચારી, 108 ના સ્ટાફ, બ્લોક હેલ્થ ઓફિસ સહિત એંસી જેટલા લોકોના સન્માન કરવામાં આવ્યા હતા તેમજ કાર્યક્ર્મ પૂર્ણ થતા સૌ સાથે ભોજન પ્રસાદ લીધેલ.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment