સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી હર્ષવર્ધન નિઓટિયા ના જન્મદિવસની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી

હિન્દ ન્યુઝ, સોમનાથ

    શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી હર્ષવર્ધન નિઓટિયા ના જન્મદિને આયુષ્ય મંત્ર જાપ- મહાપૂજા  તેમના પ્રતીનીધિ સ્વરૂપે  જનરલ મેનેજર દ્વારા કરવામાં આવેલ. તેઓ નિરામય દિર્ઘાયુષ્ય માટે આયુષ્ય મંત્ર જાપ સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં કરવામાં આવેલ. આજરોજ સાંજે ભગવાન સોમનાથ ને સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલા કરવામાં આવનાર છે.

આ પ્રસંગે ટ્રસ્ટ ના અધિકારી તથા તિર્થ પુરોહિતો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી સોમનાથ મહાદેવ પાસે તેમના નિરામય અને દિર્ઘાયુષ્યની પ્રાર્થના કરી હતી. સેક્રેટરી તથા સર્વે ટ્રસ્ટીઓ તેમજ ટ્રસ્ટ પરિવાર તરફથી ટ્રસ્ટી હર્ષવર્ધન નિઓટિયાને  શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Related posts

Leave a Comment