સુઈગામ, બનાસકાંઠા
સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસ ને વૈશ્વિક મહામારી તરીકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જાહેર કરવામાં આવી છે. સમગ્ર વિશ્વ અત્યારે આ મહામારી અટકાવવા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે આજે ભારત સહિત સમગ્ર વિશ્વ આ ભયંકર મહામારી નો સામનો કરી રહ્યું છે. આજે સુઈગામ તાલુકાના ચાળા ગામ માં સેનેટાઈઝર નો છંટકાવ કરવામાં આવ્યો હતો.
ગામની તમામ મુખ્ય કચેરીઓ, ગામના તમામ રસ્તાઓ ઉપર છંટકાવ કરવામાં આવ્યો હતો. સાથે જ ગામના તમામ નાગરિકો ને અપીલ કરવામાં આવી હતી કે જ્યાં સુધી આગળ કોઈ નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી તમામ ગ્રામ જનો પોતાના ઘર માં જ સુરક્ષિત રીતે રહે. ગામના સરપંચ સુવાતર જેતશિભાઈ, તલાટી કમ મંત્રી નીતાબેન ચૌધરી, એફ એસ ડબલ્યુ અરુણાબેન પંડ્યા અને આશા વર્કર વર્ષાબેન બી. પરમાર દ્વારા ગામના તમામ લોકો ને કોરોના વાયરસ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રિપોર્ટર : બાબુભાઈ પરમાર, બનાસકાંઠા