દર્શનાર્થીઓ માટે ફરી ખુલશે સોમનાથ મંદિરના દ્વાર, તા.17 જૂન ના રોજ દર્શનાર્થીઓ માટે ખુલશે સોમનાથ મંદિર

હિન્દ ન્યુઝ, સોમનાથ

        બિપરજોય વાવાઝોડા અને તેની આડ અસરો ને ધ્યાને લઈને શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી રામ મંદિર, ત્રિવેણી સંગમ, શ્રી શશિભૂષણ મહાદેવ મંદિર, પ્રાચી ખાતેના ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો દર્શનાર્થીઓ માટે તા.15 તથા તા.16 બે દિવસ માટે બંધ રાખવામાં આવેલ હતા. વાવાઝોડાની અસરો પૂર્ણતાના આરે છે ત્યારે જોખમ ઘટતા તા.17/06/23 અને શનિવાર ના રોજ દર્શનાર્થીઓ માટે શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો તેમના નિયત સમયે ખુલશે અને યાત્રીઓ દર્શન-પૂજન કરી ધન્ય બનશે.

Related posts

Leave a Comment