ગીર સોમનાથ બાગાયત ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલમાં કરેલી અરજીના સાધનીક કાગળો ૭ દિવસમાં જમા કરાવવાના રહેશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

           ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુતોને જણાવવાનું કેબાગાયતખાતુંગુજરાત રાજયગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે વર્ષ : ૨૦૨૩ – ૨૪ માટે આઇ – ખેડુત પોર્ટલ ૩૧/૦૫/૨૦૨૩ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ હતું તો જે ખેડૂતોએ વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં અરજીઓ કરેલ છે તેઓએ અરજીની નકલ સાથે જરૂરી સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની ઓફીસ વેરાવળ ખાતે  જમા કરાવવાના રહેશે.

જેમા તાજેતરના ૭ / ૧૨ અને ૮-અ ના ઉતારાની અસલ નકલબેંક પાસબુકની નકલઆધારકાર્ડ ની નકલડ્રીપ ઇરીગેશન અંગેના પુરાવાની નકલ વગેરે સાથે દિન-૭ માં જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરીનગર પાલિકા સામેવિનાયક પ્લાઝાત્રીજો માળટેલીફોન નં. ૦૨૮૭૬- ૨૪૦૩૩૦વેરાવળ ખાતે બીનચુક જમા કરાવવાના રહેશે.તેમ નાયબ બાગાયત નિયામકની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment