ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતોએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો

ગીર સોમનાથ

      ખરીફ ઋતુની શરૂઆતમાં જિલ્લાના તમામ ખેડુતોએ વાવેતર માટે બિયારણની ખરીદી કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બની રહે છે. ગીર સોમનાથ નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) દ્વારા પ્રસિદ્ધ કરાયેલ અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર નીચે મુજબની કેટલીક બાબતો ખેડૂતોએ ધ્યાનમાં લેવી જોઈએ.

બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ /પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો.

કોઈ પણ સંજોગોમાં લાયસન્સ /પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી. જેથી છેતરપીંડીથી બચી શકાય.

બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ,લોટ નંબર, ઉત્પાદન અને મુદ્દત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહી.

ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહી.

આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), ગીરસોમનાથ તથા સબંધિત તાલુકાના એગ્રીકલ્ચર ઓફિસરને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરૂરી છે.

Related posts

Leave a Comment