આ બેઠકમાં જિલ્લા સમાહર્તા પ્રવિણા ડી.કે કચ્છમાં કાર્યક્રમના આયોજન અને અમલીકરણ બાબતે રૂપરેખા સાથે સંબંધિત અધિકારી ઓને માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કાર્યક્રમનો હેતુ જણાવતા કહ્યું હતું કે ,લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે .આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ ઘરો ,દુકાન ,ઉદ્યોગ અને વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ વગેરે તમામ સ્થળે રાષ્ટ્રધ્વજ આદરપૂર્વક લહેરાવવામાં આવશે. તેમણે જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારના તમામ લોકો ઉપયુક્ત કાર્યક્રમમાં જન ભાગીદારી સાથે જોડાય અને તમામ ઘર ,સસ્તા અનાજની દુકાનો ,એપીએમસી, સરકારી મંડળીઓ, દૂધ મંડળીઓ, સરકારી કચેરીઓ, ભવનો ,શાળા ,કોલેજ તથા અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓ, આંગણવાડીઓ ,જેલ ,પોલીસ સ્ટેશન ,બસ સ્ટેશન, પેટ્રોલ પંપ, હોટલ ,ઉદ્યોગ ગૃહો ,વાણિજ્ય સંસ્થાઓ ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સીએચસી વગેરે તમામ જગ્યાએ આદરપૂર્વક રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો કાર્યક્રમ યોજાય તે સુનિશ્ચિત કરવા ચીફ ઓફિસર ઓને જણાવ્યું હતું .આ સાથે તેમણે વધુમાં જાહેર સ્થળો પર રાષ્ટ્રધ્વજના વેચાણના સ્ટોલ લગાવવા દરેક વોર્ડમાં સામાજિક સંસ્થાઓ તથા આગેવાનો ને સાથે રાખીને બેઠક યોજવા ઔદ્યોગિક સમુહો અને વેપારી સંગઠનોનો સહયોગ મેળવવા તમામ પદાધિકારીશ્રીઓને જોડાવા પ્રોત્સાહિત કરવા સંબંધી પાલિકા કચેરીના અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજા, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત તેમજ સંબંધિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.