રાજકોટ ખાતે વ્યાજખોરના ત્રાસથી લાપતાં થયેલા પટેલ પરિવારના મામલો, ડીસીપી ઝોન-2, મનોહરસિંહ જાડેજાનું નિવેદન આવ્યું સામે

હિન્દ ન્યૂઝ, રાજકોટ

રાજકોટમાં ફરી એકવાર વ્યાજંકવાદનુ ભૂત ધુણ્યું છે. અવાર નવાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અનેક લોકો આપઘાત કરી લેતા હોઈ છે. રાજકોટમાં ફરી એકવાર આવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પટેલ પરિવાર પતિ-પત્ની અને તેમની એક દીકરી વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઘર છોડીને ક્યાય જતો રહ્યો છે. એટલું જ નહિ પોતાની હૈયા વારાળ થાલવતા પત્રો લખ્યા છે જેમાં તેઓએ સંપૂર્ણ વિગતો લખી છે. આ અંગે આજરોજ રાજકોટ શહેર ડીસીપી ઝોન ૨ મનોહરસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ છે કે આ અંદાજીત રૂ. ૮ કરોડની રૂપિયા અંગેની લેતી દેતીનો મામલો છે. આ મામલો વ્યાજનો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું નથી.

     આ મામલે રાજકોટ શહેર ડીસીપી ઝોન ૨ મનોહરસિંહ જાડેજાએ વધુમાં જણાવતા કહ્યું કે પરિવારની શોધખોળ ચાલી રહી છે. અને પ્રાથમિક તપાસમાં ધંધામાં ભાગીદારો વચ્ચે પૈસાની લેતી દેતીનો મામલો લાગી રહી છે.

મનીષ બામટા, રાજકોટ

Related posts

Leave a Comment