શ્રી નખત્રાણા મહેશ્વરી મેઘવાળ સમાજ આયોજિત વસ્તી ગણતરી સદર્ભ માં ફોર્મ વિતરણ નું કાર્યક્રમ

હિન્દ ન્યૂઝ, નખત્રાણા

    આજ રોજ તારીખ 14.06.2021 ના રોજ શ્રી નખત્રાણા મહેશ્વરી મેઘવાળ સમાજ આયોજિત વસ્તી ગણતરી સદર્ભ માં ફોર્મ વિતરણ નું કાર્યક્રમ કરવામાં આવ્યું. જેમાં સૌપ્રથમ શરૂઆત પાલનપુર થી કરી ત્યારબાદ નિરોણા, અમરગઢ, બીબર, ખરોડીયા, વંગ, જતાવીરા, વિરાણી, મુરુ, ઘડાણી, રવાપર અને નવાવાસ સુધી પ્રવાસ કર્યો જેમાં મુરુ અને ઘડાણી માં સર્વે સમાજ ના લોકો સાથે મીટીંગ પણ કરી અને ત્યાં ના આગેવાનો દ્વારા અમારું સન્માન પણ કરવા માં આવ્યું. આ રૂટ દરમિયાન વિતરણ ફોર્મ સાથે સમાજ ના વિકાસ અંગે ની ચર્ચાઓ પણ કરવામાં આવી.

આ કાર્યક્રમ માં શ્રી નખત્રાણા મહેશ્વરી મેઘવાળ સમાજ ના પ્રમુખ હિતેશ મહેશ્વરી, ઉપપ્રમુખ દિલીપ કોચરા, મંત્રી હરેશ ધેડા અને નખત્રાણા યુવા મહેશ્વરી સમાજ ના પ્રમુખ જયેશ ધુવા, ખજાનચી દિપક માતંગ, ઉપપ્રમુખ અનિલ મહેશ્વરી, મંત્રી કીર્તિ મહેશ્વરી અને નવીન ગડા સાથે રહયા હતા.

રિપોર્ટર : કિરણ મહેશ્વરી, કચ્છ

Related posts

Leave a Comment