દિયોદર પોલીસના અપહરણના ગુનાનો દોઢ એક વર્ષથી નાસતા ફરતા ભોગ બનનાર તથા આરોપીને બનાસકાંઠા એસ.ઓ.જી પકડી જેલમાં ધકેલયો

હિન્દ ન્યૂઝ, દિયોદર 

      જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ ની સૂચના ના આધારે નાસતા ફરતા આરોપીઓ તથા અપહરણના આરોપીઓનેણ પકડવા સૂચના આપતા પોલીસ અધિક્ષક તરુણકુમાર દુગ્ગલ પાલનપુર સૂચના આધારે પો.ઈન્સ. ડી.આર.ગઢવી તથા પો.સબ.ઇન્સ એમ.કે.ઝાલા, એસ.ઓ.જી. પાલનપુર ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના હે.કો.ભરતસિંહ તથા પો.કો. સંજયસિંહ વાઘેલા તથા પો.કો. નરભેરામભાઈ વી.પોલીસ સ્ટાફના માણસો સાથે એસ.ઓ.જી.પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મળેલ ખાનગી બાતમી હકિકત આધારે દિયોદર પો.સ્ટે. ફ.ગુ.ર.ન.-૧૧૧૯૫૦૧૭૨૦૦૦૮૫/૨૦૨૦ ઇપીકો ક.૩૬૩,૩૬૬, ૧૧૪ વી. મુજબના ગુનાના કામેં છેલ્લા દોઢ એક વર્ષથી નાસતા ફરતા ભોગ બનનાર રિંકલબેન ડો./ઓફ. દિનાજી ધારાજી ઠાકોર રહે.જશાલી તા.દિયોદર તથા આરોપી દિપકભાઈ ઉર્ફે દિનેશભાઇ પોપટભાઈ ઠાકોર રહે. ખિંમ્મત તા. ધાનેરા વાળાને આજરોજ તા.૭/૦૫/૨૦૨૧ ના રોજ દામા ગામની સીમમાં આવેલ ગોગાપુરા વિસ્તાર માંથી ભોગ બનનાર તથા આરોપી મળી આવતા આગળની ગુના લગત કાર્યવાહી કરવા સારું ભોગ બનનાર તથા આરોપીને દિયોદર પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment