દિયોદર તેમજ આજુ બાજુ ના વિસ્તાર માટે હેલ્પ લાઈન નંબર જાહેર

 

હિન્દ ન્યૂઝ, દિયોદર

બનાસકાંઠા જિલ્લા માં તેમજ સમગ્ર રાજ્યમાં સતત કોરોના વાઈરસની ગંભીર બીમારી ચાલી રહી છે જેમાં દિન પ્રતિદિન કોરોના વાઈરસના કેસો સામે આવી રહ્યા છે. જેમાં દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોના વાઈરસ નું સંક્રમણ વધતા દિયોદરના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા દ્વારા એક હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં દિયોદર અને આજુ બાજુ વિસ્તારમાં કોરોના સંક્રમિત દર્દીઓને જરૂરિયાત મુજબ સેવાઓ મળી રહે તે માટે હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 7041420505 નંબર તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં દર્દીઓ ને સુવિધા મળી રહે તે માટે હેલ્પ લાઈન નંબર સાથે ટિમ ખડેપગે રહે છે અને જરૂરિયાત મુજબ સેવા આપવામાં આવશે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment