રાજકોટ શહેરમાં શાકભાજીના ફેરિયાઓને માસ્કનું વિતરણ, ૨૬ ડોકટરોની ટીમ કામે લાગી

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૧.૪.૨૦૨૦ ના ચેરમેનશ્રી કાનગડની યાદીમાં જણાવાયું છે કે, હાલના સમયમાં કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં દેશભરમાં લોકડાઉનની અમલવારી ચાલુ છે. આ સમયમાં શહેરના શાકભાજીના તમામ ફેરિયાઓનું થર્મલ સ્કેનિંગ કરાવવું જરૂરી છે. આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ જણાવે છે કે, લોકો પોતાની રોજીંદી જીવન જરૂરિયાતની શાકભાજી, ફ્રુટ વિગેરે છુટક ફેરિયા પાસેથી ખરીદી કરે છે. આ ફેરિયાઓ દુર સુધીના વિસ્તારમાંથી અને સામાન્ય રીતે પછાત વિસ્તારમાંથી શાકભાજી વેચવા આવતા હોય છે. પોતાના ધંધાના કારણે અનેક લોકોના સંપર્કમાં આવતા હોય છે. ગુજરાતના અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાં શાકભાજીના ફેરિયાઓમાં કોરોના પ્રસરેલ હોય તેવું જાણમાં આવેલ છે. તેથી અગમચેતીના ભાગરૂપે રાજકોટ શહેરના તમામ વિસ્તારોમાં શાકભાજી વહેચતા ફેરીયાઓનું તાત્કાલિક ધોરણથી થર્મલ સ્કેનિંગ કરાવવાની કામગીરી શરૂ કરાવવામાં આવેલ છે. આ કામગીરી માટે ૨૬ ડોકટરોની ટીમને કાર્યરત કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં લગભગ ૧૨૮ જેટલા લારીવાળાઓનો સંપર્ક કરેલ છે. તેમજ ૧૪૫ લોકોનું થર્મલ સ્કેનિંગ કરેલ છે. અને તેઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવેલ છે. તેમજ શાકભાજીનું વેચાણ કરતા ૮ લોકોને શરદી, ઉધરસના ચિહ્રન જણાતા તેમને આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment