માંગરોળ તાલુકામાં ફરી કોરોનાએ માથું ઉચકયુ, 3 દિવસમાં 17 કેસ નોંધાયા, તંત્ર હરકતમાં આવ્યું

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

            માંગરોળ તાલુકામાં ફરી કોરોનાએ માથું ઉચકયુ છે. ત્રણ દિવસમાં 17 કેસ નોંધાયા છે, જેને લીધે તંત્ર હરકતમાં આવી ગયું છે. માંગરોળ તાલુકાનાં તરસાડી નગરમાં 16 અને તાલુકાનાં લીબાડામાં 1 મળી 17 કોરોનાંનાં કેસો ત્રણ દિવસમાં નોંધાયા છે. તરસાડી નગરમાં આરોગ્યની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. આ ટીમોએ ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. હજુ દિવસે દિવસે કોરોનાંનાં કેસોમાં વધારો નોંધાઇ શકે તો નવાઈ નહીં. જેથી પ્રજાજનોને સાવચેત રહી, કોવીડ-19 ની ગાઈડ લાઈનનો અમલ કરે એ અતિ જરૂરી છે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment