હિન્દ ન્યુઝ, જામનગર ”સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અનુસાર જામનગર જિલ્લામાં આવેલા ધ્રોલ તાલુકામાં ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તારીખ 25/09/2024ના રોજ સવારના 11:00 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મદદનીશ કલેકટરશ્રી, ધ્રોલના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી ધ્રોલ ખાતે યોજવામાં આવશે. આગામી તારીખ 16/09/2024 સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના…
Read MoreMonth: September 2024
કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ અતિવૃષ્ટિ સર્વે કામગીરી દરમિયાન અવસાન પામેલા શિક્ષક અંગે દિલગીરી વ્યક્ત કરી
હિન્દ ન્યુઝ, જામનગર તાજેતરમાં સમગ્ર જામનગર જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે થયેલ નુકસાનીના સર્વેની કામગીરીમાં જોડાયેલ જામનગર જિલ્લાના શિક્ષક શ્રી કલ્પેશભાઈ માંડવીયાનું હૃદયરોગના કારણે દુઃખદ અવસાન થયું હતું. જે અંગે રાજ્યના પ્રવાસન, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ દિલગીરી વ્યક્ત કરી હતી. મંત્રીએ મૃત્યુ પામેલા દિવંગત શિક્ષક સ્વ.કલ્પેશભાઈ ભીખાભાઈ માંડવીયાના પરિવાર પ્રત્યે દિલસોજી પાઠવી હતી. તેમજ મૃતક શિક્ષકના પરિવારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી રૂપિયા 25 લાખની સહાય આપવાની રજૂઆત રાહત કમિશનર, મહેસૂલ સચિવ તેમજ જિલ્લા કલેકટર સુધી પહોંચાડી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા કલેકટર શ્રી બી.કે.પંડયાએ…
Read Moreજિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ સાઇન્સ સેમિનાર- 2024 યોજાયો
હિન્દ ન્યુઝ, ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર(રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ,સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ધરમપુર દ્વારા દર વર્ષની જેમ જિલ્લા કક્ષાનો નેશનલ સાઇન્સ સેમિનાર- 2024 નું આયોજન 04/09/2024ના રોજ કરવામાં આવ્યું હતું. નેશનલ સાઈન્સ સેમિનારનો ઉદ્દેશ્ય-વિદ્યાર્થીઓ નવી વૈજ્ઞાનિક પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા તેમજ વૈજ્ઞાનિક જાગૃતિ સાથે વિવિધ શાખાઓથી માહિતગાર કરવાનો છે. “કૃત્રિમબુદ્ધિમત્ત્તા:સંભવિતતાઓઅનેચિંતાઓ”“Artificial Intelligence:Potentials &Concerns” વિષય પર જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર (રા.વિ.સં.પ.) ધરમપુર ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રજ્ઞેશ રાઠોડએજ્યુકેશન ઓફિસર, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર એ તેમના સંબોધનમાં જિલ્લા અને રાજ્ય…
Read Moreજિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર મુકામે વિજ્ઞાન શિક્ષકોની રાજ્ય કક્ષાની રિસોર્સ પર્સન તાલીમ કાર્ય શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, ધરમપુર જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વલસાડ તથા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર દ્વારા સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના ત્રણ ત્રણ વિજ્ઞાન શિક્ષકોની ધોરણ છ થી આઠના અભ્યાસક્રમ અને અધ્યયન નિષ્પત્તિઓ આધારિત રિસોર્સ પર્સન તાલીમ કાર્ય શિબિરનું તા. 2,3 અને 4 સપ્ટેમ્બર દરમિયાન આયોજન થયું હતું. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી 103 જેટલા તજજ્ઞ શિક્ષકોએ તાલીમમાં ભાગ લીધો હતો. જીસીઈઆરટી ગાંધીનગરથી આ કાર્યક્રમ માટે તજજ્ઞ તરીકે કપિલદેવ વસાણી, ભાર્ગવ ઠક્કર, હિરેનભાઈ વ્યાસ, તૃપ્તિબેન પારેખ સહિત અન્ય કી રિસોર્સ પર્સન તાલીમમાં હાજર રહ્યા હતા.જિલ્લા…
Read Moreરખડતા ઢોરના ત્રાસથી નાગરિકોને મુક્તિ અપાવવા આણંદ નગરપાલિકા એક્શનમાં
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ નગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે આણંદ નગરપાલિકા એક્શનમાં આવી છે. જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ આણંદ શહેરી વિસ્તારના રસ્તાઓ ઉપર રખડતા ઢોરો ને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવા જણાવ્યું છે. આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી એસ. કે. ગરવાલ અને તેમની ટીમ દ્વારા આણંદ શહેરી વિસ્તારના રસ્તાઓ ઉપર રખડતા ઢોરોને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. …
Read Moreઆણંદ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત જિલ્લાના ૭૪ ગામોમાં રોજગાર દિવસની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ વધુને વધુ લોકોને રોજગારી મળે તે હેતુથી ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રોજગાર દિવસ ઉજવવાના શરૂ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લાના ૭૪ ગામોમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ની સાથે સાથે એક પેડ માં કે નામ હેઠળ પોષણમાસના અનુસંધાનમાં એગ્રી ન્યુટ્રીગાર્ડન (બાગાયત) વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને જોબકાર્ડ વેરિફિકેશન પણ કરવામાં આવ્યા હતા.
Read Moreઆણંદ જિલ્લામાં હવે માત્ર ૦૬ માગૅ ઓવરટોપિંગ થતા બંધ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે કેટલાક માર્ગો પ્રભાવિત થયા હતા. જેને દુરસ્તી કામ કરી પુનઃ શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત હસ્તકના ગ્રામ્ય વિસ્તારમાં આ ગામો પાસે વધુ પડતું પાણી ભરાવાથી ઓવરટોપિંગ થયેલ છે. જેથી આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. જેમાં નાપા (ત) ખાજીયાવાડી વિસ્તાર રોડ,દેવા ભળકડ રોડ, પાંદડ કોઝવેથી મીતલી રોડ, મોરજ ચિખલીયા રોડ, રાવપુરા સેવરાપુરા રોડ બંધ કરવામાં આવ્યા હોવાનું કાર્યપાલક ઇજનેરશ્રી પંચાયત દ્વારા જણાવ્યું છે. …
Read Moreमतदान केंद्रों का शत – प्रतिशत सत्यापन करें पदाधिकारी : जिलाधिकारी यशपाल सिंह मीणा
हिन्द न्यूज़, बिहार वैशाली बिहार।जिलाधिकारी यशपाल सिंह मीणा ने भारत निर्वाचन आयोग के निर्देश के आलोक में मतदान केन्द्रों के युक्तिकरण के संबंध में सभी पदाधिकारियों के साथ कार्यालय कक्ष में बैठक आयोजित की गई। विदित है कि 1400 से अधिक मतदाता वाले मतदान केंद्रों का युक्तिकरण होना है और अतिरिक्त मतदान केंद्रों का निर्माण किया जाना है। जिला पदाधिकारी ने सभी सहायक निर्वाचन पदाधिकारियों को निर्देश दिया कि वे कल दिनांक 6 सितंबर को पुनः सभी प्रस्तावित मतदान केंद्रों का स्वयं शत प्रतिशत स्थलीय जांच…
Read Moreમહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટી ચરેલ ખાતે કલેકટર ના અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઇ
હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટી ચરેલ ગામે જિલ્લા ક્લેક્ટર શ્રીમતી નેહા કુમારીના અઘ્યક્ષતામાં રાત્રીસભા યોજાઈ. રાત્રી ગ્રામસભામાં ઉત્સાહભેર લોકો મોટી સંખ્યામાં જોડાયા અને યોજનાકીય બાબતો અને પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ. ગ્રામજનો અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવતી પ્રજાના ધર આંગણે પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત્રી ગ્રામસભામાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, ગામના સરપંચ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ તમામ અધિકારીઓએ તેમના વિભાગને લગતી યોજનાઓની માહિતી તથા થયેલ પ્રશ્ર્નોનું નિરાકરણ કર્યુ હતું. જિલ્લા કક્ષાના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ગ્રામસભામાં ઉપસ્થિત…
Read Moreપોલીસ વિભાગને લગતી રજૂઆત/પ્રશ્નો માટે પોલીસ અધિક્ષક, ભાવનગરને રૂબરુ મળી રજૂઆત કરી શકશે
હિન્દ ન્યુઝ, ભાવનગર પોલીસ અધિક્ષક, ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ભાવનગર જિલ્લાના અરજદારઓ,આમ નાગરીકો,અલગ અલગ સંસ્થા- સંગઠનના પ્રતિનિધિઓ વગેરે કોઇપણ દિવસે પોલીસ વિભાગને લગતા પ્રશ્નો, રજૂઆતો અને ફરીયાદો અંગે પોલીસ અધિક્ષક, ભાવનગરને મળી પોતાની રજૂઆત કરી રહ્યાં છે અને તોઓના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આમ છતા, વહિવટી સરળતા તેમજ આમ નાગરીકો સીધા જ પોલીસ અધિક્ષક, ભાવનગરને રૂબરૂ મળી તેમની રજૂઆત કરી શકે અને નાગરીકોને પણ સરળતા રહે તે હેતુસર દરેક સોમવાર તથા મંગળવારના દિવસે અગત્યની કોઇ કામગીરી સિવાય અમારો કેમ્પ ભાવનગર કચેરી ખાતે રહેતો હોવાથી…
Read More