હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જપાલિતાણા તાલુકાના નાનકડા ગામ અનિડા ગામના ગરીબ મજૂર વર્ગના પરિવારોને આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિવસે અનાજ, તેલ કરિયાણાની સામગ્રીનું વિતરણ કરી પાલિતાણા તાલુકા શિક્ષક સંઘ દ્વારા સંવેદનશીલ કાર્ય કર્યું હતું. કુંભણ પાસે ડુંગરાળ વિસ્તારમાં અનિડા ગામે રહેતા ગરીબ અને મજૂર વર્ગના લગભગ ચાલીસ પરિવારોને પાલિતાણા તાલુકા શિક્ષક સંઘ દ્વારા પ્રમુખ હાર્દિકભાઈ ગોહિલ તથા નંદલાલ જાનીના સંકલન સાથે અનાજ કરિયાણા સહિતની સામગ્રી ફુલ નહીં તો ફુલની પાંખડીના ન્યાયે અનાજ, તેલ કરિયાણાની સામગ્રીનું વિતરણ કર્યું હતું. જે રીતે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ગરીબો, વંચિતો, શોષિતો, છેવાડાના માનવીઓ પ્રત્યે સંવેદના…
Read MoreMonth: August 2021
પાંચ વર્ષ આપણી, સરકારના સૌના સાથ સૌના વિકાસના ઉપલક્ષ્યે આજે ભાવનગર જિલ્લાનાં વિવિધ સ્થળોએ “સંવેદના દિવસ”ની ઉજવણી
હિન્દ ન્યુઝ, પાંચ વર્ષ આપણી, સરકારના સૌના સાથ સૌના વિકાસના ઉપલક્ષ્યે આજે ભાવનગર જિલ્લાનાં વિવિધ સ્થળોએ “સંવેદના દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લાનાં ભાવનગર, તળાજા, મહુવા, જેસર, ગારીયાધાર, પાલીતાણા, ઘોઘા, સિહોર, વલ્લભીપુર, ઉમરાળા તાલુકામાં પણ સંવેદના દિનની ઉજવણી સંદર્ભે સેવા સેતુ કાર્યક્રમ અને કોરોનામાં માતા-પિતા બેઉ અથવા માતા અથવા પિતા ગુમાવનારા બાળકો માટે મુખ્યમંત્રી બાલ સેવા યોજના હેઠળ નાણાકીય સહાય અર્પણ કરવામાં આવી હતી. સેવા સેતુ અંતર્ગત ભાવનગર તાલુકાના નાગરિકોમાં વિવિધ સરકારી યોજનાઓ માટે અરજી અને તેના લાભો લેવા માટે ધસારો જોવા મળ્યો હતો. સરકારી વિવિધ ૫૭ જેટલી સેવાઓના…
Read Moreરોજગાર કચેરી ભાવનગર ખાતે નામ નોંધણી રીન્યુઅલ કરાવી શકાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલ રોજગારવાંચ્છુંઓ કે જેમની નામ નોંધણી તા.૦૧/૦૯/૨૦૨૧ના રોજ રોજગાર કચેરીના લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી રીન્યુઅલ ન કરાવવા બદલ કમી થનાર હોય સંબંધિત રોજગારવાંચ્છુંએ નામ નોંધણી તાજી કરાવવા માટે રોજગાર કચેરી ખાતે નામ નોંધણી થયા તારીખ થી ત્રણ વર્ષ પૂર્ણ થતા હોય તે પછીના ત્રણ મહિનામાં નોંધણી તાજી કરાવવા માટે નોંધણી કાર્ડની સ્કેન કરેલી નકલ અત્રેની કચેરીના ઇમેલ એડ્રેસ dee-bav@gujarat.gov.in ઉપર મોકલી તેમજ નોંધણી ક્રમાંકની વિગત સાથે ટપાલ મારફત અત્રેની કચેરી ખાતેથી નોંધણી તાજી કરાવી શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે…
Read Moreકોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકો સાથે ભોજન તથા વાર્તાલાપ કરી પોતાનો સ્નેહભાવ વ્યક્ત કરતાં કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ તથા મહાનુભાવ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના કરચલીયા પરાં વોર્ડનાં ભૂતા રૂગનાથ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલાં સેવા સેતુ કાર્યક્રમમાં કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ, મેયર શ્રીમતી કિર્તીબેન દાણીધરીયા, ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઇ ધામેલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા, મ્યુનિસિપલ કમિશ્નર એમ.એ.ગાંધી, કલેકટરશ્રી યોગેશ નીરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જિલાણી, પદાધિકારીઓ-અધિકારીઓ સહિતના મહાનુભાવોએ કોરોના કાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકો સાથે પ્રીતિ ભોજન લઇ તથા તેઓની સાથે સંવેદનાસભર વાર્તાલાપ કરી આ બાળકો પ્રત્યે પોતાનો સ્નેહભાવ વ્યક્ત કર્યો હતો. મહાનુભાવોએ જીવનના દરેક તબક્કે રાજ્ય સરકાર હર હંમેશ તેઓની…
Read Moreલોકશાહી ની કલમેના તંત્રી અરુણભાઈ જેબરની સાહિત્યક્ષેત્રની પ્રવૃત્તિને બિરદાવી બૃહસ્પતિ કાવ્યધારા ભુજ (કચ્છ) તરફથી શિલ્ડ અર્પણ
હિન્દ ન્યુઝ, વેરાવળ બૃહસ્પતિ કાવ્યધારા ભુજ (કચ્છ) તરફથી બૃહસ્પતિ જોશીની તારીખ ૧૪/૦૭/૨૦૨૧ ના રોજ બીજી પુણ્યતિથિ નિમિતે અમારી સાહિત્ય ક્ષેત્રે યોગદાનની પ્રવૃત્તિને બિરદાવીને આનંદની લાગણી વ્યક્ત કરી આયોજક વિપુલ જોશી “કચ્છી બેફામ” અને સંયોજક દિલીપભાઈ આચાર્ય ” દિલકશ” એ સાહિત્યની પ્રવૃત્તિમાં ઉતરોતર પ્રગતિના શિખરો સર કરો એવી દિલથી શુભકામનાઓ પાઠવીને મને જે શિલ્ડ અર્પણ કરેલ છે . આ તકે બન્નેનો અરુણભાઈ જેબરે ખૂબ આભાર માનેલ હતો. જેનો આદર્શ મહાન છે તેવા લોકશાહી કલમે ના તંત્રી અરૂણભાઇનું લક્ષ્ય પણ ઉચ્ચ કોટિનું છે. તે સૌને ઉચ્ચ કોટિનું જીવન મળે તે માટે પુરુષાર્થ…
Read More