પ્રાથમિક શાળા હાડગૂડના બે શિક્ષકો શિક્ષક દિન એ એક સાથે સન્માનિત થયા

હિન્દ ન્યુઝ, આણંદ      શિક્ષક દિન નિમિત્તે બાકરોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત શિક્ષક શ્રી કોમલબેન રાયજીભાઈ પટેલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં છેલ્લા ૧૫ વર્ષથી ફરજ બજાવે છે. બાકરોલ ખાતે આજે યોજાયેલ શિક્ષકદિનના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકી અને મહાનુભાવોના હસ્તે તેઓનું બુકે, શાલ, પ્રમાણપત્ર અને રૂપિયા 5,000 ના ચેક આપી ને સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ શિક્ષક તરીકે ધોરણ ૩ થી ૫ માં અને છેલ્લા એક વર્ષથી ધોરણ ૧નાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને પાયો મજબુત બનાવી રહ્યા છે. શૈક્ષણિક…

Read More

સમાજ જીવનને યોગ્ય દિશામાં લઈ જવાની વિશેષ જવાબદારી શિક્ષકની છે : નાયબ મુખ્ય દંડક

પાંચમી સપ્ટેમ્બર : શિક્ષક દિન હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ ખાતે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના બાકરોલ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલા શિક્ષક દિન ઉજવણી કાર્યક્રમમાં શિક્ષણક્ષેત્રે બહુમૂલ્ય યોગદાન આપનાર શિક્ષકોને, શાળાઓને તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાની પરંપરા અને સમાજના ઘડતરમાં શિક્ષકના અમૂલ્ય યોગદાન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, શિક્ષકો સમાજ નિર્માણનું અને આવનારા…

Read More

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગરની જી.ડી.શાહ હાઇસ્કુલ ખાતે “શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ” યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર  .   રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં આવેલ જી.ડી.શાહ હાઇસ્કુલ ખાતે “શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ વર્ષ- 2025” યોજવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જામનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે જામનગરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બે શિક્ષકો જેમાં ધ્રોલ તાલુકાની શ્રી જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયના અલ્પાબેન પટેલ તથા જોડિયા તાલુકાની નેસડા પ્રાથમિક શાળાના શિક્ષક રમેશચંદ્ર ધમસાણિયાને જિલ્લા કક્ષાનો પુરસ્કાર તથા 15 જેટલા…

Read More

“વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ડિગ્રી વિતરણની સાથે રોજગાર ભરતીમેળો યોજાયો”

હિન્દ ન્યુઝ, સુરત     વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તથા ગુજરાત સરકારની રોજગાર કચેરી, સુરત અને યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, સુરતના સયુંક્ત ઉપક્રમે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ૨૦૨૫માં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ખાસ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભારતીમેળામાં ૨૧૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી તેમજ પસંદગીમાં વાર્ષિક ૬ લાખ સુધીના પેકેજની પણ ઓફર કરવામાં આવી હતી.

Read More

શાળામાં હાજર થયો ત્યારથી મેં નક્કી કર્યું હતું કે, શાળાને આગળ ધપાવવા માટે શક્ય તેટલા તમામ પ્રયત્નો કરીશ – પરેશભાઈ સોરઠીયા

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ શ્રી ખારવા પ્રાથમિક શાળામાં છેલ્લા ૧૦ વર્ષથી પરેશભાઈ સોરઠીયા અભ્યાસ કરાવે છે. તેઓ પોતાની શિક્ષક તરીકેની જવાબદારી પૂરી કરવાની સાથે સાથે બાળકોને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ પણ કરાવે છે. જેવી કે, CET, NMMS (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ), જ્ઞાન સાધના, નવોદયના એક્સ્ટ્રા ક્લાસ લઇ બાળકોને અભ્યાસ કરાવે છે. ચાલુ વર્ષે ધો.૫ અને ધો.૮ના અંદાજે ૪૫ જેટલા બાળકોને તેઓ શાળાના સમય સિવાયના સમયમાં પરીક્ષાઓની તૈયારી કરાવે છે.     પરેશભાઈ સોરઠીયા જણાવે છે કે, હું શાળામાં હાજર…

Read More

સરકારી વિજ્ઞાન કોલેજમાં ઈનોવેશન ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો

‘વિચારથી વિજય સુધી’ હિન્દન્યુઝ, ગીર સોમનાથ      સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્ટાર્ટ-અપ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ (SUSEC) તથા ઇન્સ્ટિટ્યુશન ઇનોવેશન કાઉન્સિલ (IIC), સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સહયોગથી“Bridging Ideas to Impact: Strengthening Regional Innovation Ecosystems for Scalable Startups”વિષય પર ઇનોવેશન ઓરિએન્ટેશન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ડૉ. સ્મિતા છગના માર્ગદર્શન હેઠળ ઇનોવેશન કોઓર્ડિનેટર પ્રો. પ્રિયા મંગે દ્વારા સમગ્ર કાર્યક્રમ સુનિયોજીત રીતે યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આઇપીઆર ચેરપર્સન ડૉ. પાર્થે સેજપાલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઇનોવેશન, ઉદ્યોગસાહસિકતા અને બૌદ્ધિક સંપત્તિ હક્કો અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું. શ્રી…

Read More

તળાજાની શ્રીમતી વાય. જે. જે. દોશી આર્ટસ & કોમર્સ કોલેજ‌ ખાતે મંગળવારે ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર   ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૫મી ઓગસ્ટ,૨૦૨૫ને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તળાજાની શ્રીમતી વાય. જે. જે. દોશી આર્ટસ & કોમર્સ કોલેજ‌,આયુર્વેદિક હોસ્પિટલ પાસે,ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતીમેળામાં SSC / HSC / GRADUATE ની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે બ્યુટિશિયન, હેર ડ્રેસર, ફ્લોર મેનેજર, સોશિયલ મીડિયા મેનેજર, પરચેઝ મેનેજર, એડમીન, માર્કેટિંગ હેડ, content creator, photographer, cashier, Housekeeping, Stock incharge, counseller, સેલ્સ ઓફિસર, માર્કેટિંગ ઓફિસરની જગ્યાઓ ભરવાની છે.  શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૦૫ કોપી, તથા આધારકાર્ડની કોપી સાથે સ્વખર્ચે ઉપસ્થિત…

Read More

મહિલા અને બાળ અધિકારીની કચેરી જામનગરના સક્રિય પ્રયાસોને કારણે શાળાએ ન જતી 10 બાળકીઓએ ફરી અભ્યાસ શરુ કર્યો

નારી વંદના ઉત્સવની ઉજવણી   હિન્દ ન્યુઝ, જામનગર      ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિભાગ, ગાંધીનગર દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના જાન્યુઆરી ૨૦૧૫થી કાર્યરત છે. કન્યા કેળવણીને જન આંદોલન બનાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી આ યોજનાનો મુખ્ય ધ્યેય દીકરીઓના ઘટતા જન્મદરને અટકાવવા, શિક્ષણને પ્રોત્સાહન આપવું, અને તેમને સુરક્ષા પૂરી પાડવાનો છે. મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સમાજમાં દીકરીઓની આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત કરવા માટે જામનગર જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW) યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત,…

Read More

પીએમ શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલય-બોટાદમાં ધોરણ ૧૧માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૦/૦૮/૨૦૨૫

હિન્દ ન્યુઝ, બોટાદ                પી એમ શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલય,બોટાદમાં ધોરણ-૧૧ માં પ્રવેશ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦/૦૮/૨૦૨૫ રહેશે.                  જવાહર નવોદય વિદ્યાલય, બોટાદમાં ધોરણ-૧૧ માં પ્રવેશ માટે અરજી કરવા ઈચ્છુક વિદ્યાર્થીની જન્મ તારીખ ૦૧/૦૬/૨૦૦૮ થી ૩૧/૦૭/૨૦૧૦ વચ્ચેની હોવી જોઈએ. વિદ્યાર્થીએ ગત વર્ષ ૨૦૨૪-૨૫ સરકારની માન્યતા પ્રાપ્ત શાળામાં ધોરણ-૧૦ ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. વિદ્યાર્થીએ ધોરણ-૧૦ માં ૬૦% અથવા તેનાથી વધારે ટકા પ્રાપ્ત કરેલા હોવા જોઈએ.        …

Read More