હિન્દ ન્યુઝ, સુરત
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તથા ગુજરાત સરકારની રોજગાર કચેરી, સુરત અને યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, સુરતના સયુંક્ત ઉપક્રમે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ૨૦૨૫માં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ખાસ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભારતીમેળામાં ૨૧૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી તેમજ પસંદગીમાં વાર્ષિક ૬ લાખ સુધીના પેકેજની પણ ઓફર કરવામાં આવી હતી.
