એસ.એમ.એસ/ એમ.એમ.એસ, સોશ્યલ મીડિયા જેવા કે ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર, ટેલીગ્રામ અને ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમોમાં મેસેજ મોકલવા કે ફોરવર્ડ કરવા ઉપર નિયંત્રણ બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  ભારતના ચૂંટણી આયોગ વારા તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ની જાહેરાત કરવામાં આવેલ છે. માટે તા. ૧૬/૦૩/૨૦૨૪ થી આદર્શ આચારસંહિતા (Model Code of Conduct) અમલમાં આવેલ છે. તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન તથા તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ મત ગણતરી થનારી છે. આ ચૂંટણી સંદર્ભમાં મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્યના આચારસંહિતા અંગે સૂચના આપેલ છે. જે અન્વયે છોટાઉદેપુર જિલ્લામાં તમામ સ્તરે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે તેમજ ચૂંટણી મુક્ત, ન્યાયી અને પવિત્ર રીતે થાય તથા આદર્શ…

Read More

રાજકીય પક્ષોને વાહનો વાપરવા માટે માર્ગદર્શિકા દર્શાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  ભારતના ચૂંટણી આયોગ વારા તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ની જાહેરાત કરવામાં આવેલ છે. માટે તા. ૧૬/૦૩/૨૦૨૪ થી આદર્શ આચારસંહિતા (Model Code of Conduct) અમલમાં આવેલ છે. તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન તથા તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ મત ગણતરી થનારી છે. આ ચૂંટણી સંદર્ભમાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્યના આચારસંહિતા અંગે સૂચના આપેલ છે. જેનો તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. જેના અનુસંધાને ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ચૂંટણી પ્રચાર અભિયાનરૂપે રાજકીય/બિન રાજકીય પક્ષના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી ચૂંટણી પ્રચાર…

Read More

રાજકીય પક્ષો/ઉમેદવારોની જાહેરાત કેબલ ચેનલમાં પ્રસારીત કરતા પહેલાં MCMC કમિટીનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર થતા આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. જેથી, આદર્શ આચાર સંહિતાના અમલ દરમ્યાન રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા રાજકીય પ્રકારની જાહેરાતો, ઝીન્ગ્લ્સ, ઇન્સ્ર્શન, બાઈટસ વગેરે વિજાણુ માધ્યમો જેવા કે ટી.વી ચેનલો, ખાનગી ચેનલો, રેડિયો, કેબલ, ટી.વી નેટવર્ક, ખાનગી એફ.એમ.માં પ્રસારિત કરતા પહેલા મીડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમિટી(MCMC) સમક્ષ રજુ કરી, મંજુરી મળ્યા બાદ જ પ્રસારણ કરવાની કાર્યપધ્ધતી અનુસરવાની હોય છે. જેથી, તમામ કેબલ ઓપરેટરોએ પોતાની ચેનલમાં રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા આપવામાં આવતી જાહેરાત પ્રસિધ્ધ કરતા પહેલા રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા MCMC કમિટીનું પ્રમાણપત્ર મેળવેલ હોવાની ખાત્રી કર્યા…

Read More

લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત હથિયાર પરવાનેદારોના હથિયાર જમા કરવી દેવા અંગેનું જાહેરનામું બહાર પડતાં જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયેનો કાર્યક્રમ જાહેર થયેલ છે. ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને મુક્ત, ન્યાયી અને શાંતિપુર્વક વાતાવરણમાં ચૂંટણી યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લોકોની સલામતી જળવાઇ રહે, સુલેહશાંતિનો ભંગ ન થાય તે માટે મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને પરવાનેદારોને હથિયારો જમા લેવા બાબતે તથા હથિયાર જમા લેવામાંથી મુકિત આપવા બાબતે સ્કીનીંગ કમીટીની રચના કરવામાં આવેલ છે.  જાહેર શાંતિ અને સલામતી માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને…

Read More

જિલ્લાના પ્રિન્ટીંગ પ્રેસના માલિકો/સંચાલકોને કાયદાકીય જોગવાઈ અને પ્રિન્ટીંગ વિશે માહિતી આપવામાં આવી

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર       લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલમાં મુકાઈ છે. ૨૧- છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આગામી તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. લોકસભા સામાન્ય ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલી હોય છોટાઉદેપુર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી ચૌધરી અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.ડી ગોક્લાણીના અધ્યક્ષસ્થાને જિલ્લાના પ્રિન્ટીંગ પ્રેસ એસોસિએશનના હોદ્દેદારો અને માલિકો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રિન્ટ થયેલી જાહેરાતમાં પ્રિન્ટિંગ પ્રેસનું નામ, પ્રિન્ટર, પ્રકાશક અને મુદ્રકનું નામ તેમજ કેટલી નકલ છાપવામાં આવી છે તેનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે આ સિવાય…

Read More

ચૂંટણી પ્રચાર માટે જાહેર મિલકત પર કટઆઉટ-હોર્ડિંગ્ઝ-બેનર લગાવી શકાશે નહિ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૪/૦૬૨૦૨૪ ના રોજ થનાર છે. છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામાં દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણીના વિસ્તારમાં કોઇપણ વ્યકિત, સંસ્થા કે, મંડળી કે રાજકીય પક્ષ, બીનરાજકીય પક્ષ અને આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીના ભાવી ઉમેદવારોને તાત્કાલિક અસરથી તા.૧૫/૦૫/૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન કેટલાંક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.  જે અન્વયે છોટાઉદેપુર જિલ્લામાં કટઆઉટ, હોર્ડિંગ્સ, બેનર વિગેરે કોઇપણ જાહેર જગ્યાએ મૂકી શકાશે નહિ એટલે કે સરકાર, નગરપાલિકા કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વિગેરે હસ્તકની જગ્યાએ (આવી જગ્યા…

Read More

જિલ્લામાં ચૂંટણી દરમિયાન ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા સભા/સરધસ કાઢવા પર પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ તા.૦૭.૦૫.૨૦૨૪ રોજ મતદાન અને ૦૪.૦૬.૨૦૨૪ના રોજ મતગણતરી થનાર છે. ચૂંટણીઓ દરમ્યાન ઉમેદવાર તથા રાજકીય પક્ષો તરફથી ચૂંટણી પ્રચારમાં જાહેરસભાઓ તથા સરઘસો યોજવામાં આવશે. જેથી કોઈપણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય,જાહેર સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા આશયથી જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુર દ્વારા તેમને મળેલ સત્તાની રૂએ છોટાઉદેપુર જિલ્લામાં આ જાહેરનામું પ્રસિધ્ધ કયુ છે. જાહેરનામાં મુજાબ કોઈપણ વ્યકિત/વ્યકિતઓએ તા.૧૬/૦૩/૨૪ના થી તા.૩૦/૦૩/૨૦૨૪ (બંને દિવસો સહીત) સુધીના સમયગાળા દરમ્યાન અધિકારીની પરવાનગી…

Read More

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

લોક્સભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી સમય દરમિયાન રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ ધ્યાનમાં રાખવાના વિવિધ વિષયો અંગે ચર્ચા કરી જરૂરી બાબતો અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને અવગત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની ઘોષણા કરવામાં આવી હતી. જે અંતર્ગત આગામી ૧૨મી એપ્રિલ, ૨૦૨૪ના રોજ ત્રીજા તબક્કામાં ગુજરાતની લોકસભા બેઠકો માટે તેમજ વિધાનસભાની ૦૫ બેઠકો માટે પેટાચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ…

Read More

ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરની પરવાનગી લેવાની રહેશે

લોક્સભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ તા.૦૭.૦૫.૨૦૨૪ રોજ મતદાન અને ૦૪.૦૬.૨૦૨૪ના રોજ મતગણતરી થશે. જેમાં ચૂંટણીઓ દરમિયાન લાઉડ સ્પીકરની પરવાનગી અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.ડી.જાડેજા દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ પરિપત્ર અનુસાર ચૂંટણીના પ્રચાર માટે ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટો, રાજકીય પક્ષો કે કોઈપણ વ્યક્તિ તરફથી લાઉડસ્પીકરની પરવાનગી મળવા આવતી માંગણીઓની અરજીની નોંધ સક્ષમ અધિકારી દ્વારા રજીસ્ટ્રરમાં કરવાની રહેશે. તેમજ ફરતા વાહનમાં લાઉડ સ્પીકરના ઉપયોગ માટે સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ની કચેરીએથી પરવાનગી મેળવવાની રહેશે. ચૂંટણીપ્રક્રિયા…

Read More

દિવ્યાંગ મતદારો માટે હેલ્પલાઈન શરૂ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લામાં આગામી ૭મે ૨૦૨૪ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાશે. આગામી લોકસભા ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો 100% મતદાન કરે તે હેતુથી દિવ્યાંગ મતદારોને મતદાન બાબતની કોઈપણ પ્રકારની માહિતી મેળવવા તેમજ પ્રશ્નોના નિવારણ માટે પી ડબલ્યૂ ડીના નોડલ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ પીડબલ્યૂડી નોડલ અધિકારી દ્વારા મતદાન બાબતે કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો કચેરીના હેલ્પલાઈન નંબર ૦૨૮૭૬-૨૮૫૭૧૨ ઉપર કચેરી સમય દરમિયાન સંપર્ક કરવા તમામ દિવ્યાંગ મતદારોને અનુરોધ કરવામાં…

Read More