ધ્રાંગધ્રા દિવ્યાંગ યુનિયન દ્વારા ધ્રાંગધ્રા રોટરી ક્લબ ઓફ ના નવ નિયુક્ત પ્રેસીડન્ટ વિશાલભાઈ અઢિયા અને સેક્રેટરી કુલદીપસિંહ ઝાલા નું સન્માન

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા        સુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાંગધ્રા રોટરી ક્લબ ઓફ ઘણા વર્ષોથી જનસેવા અને દિવ્યાંગો ના હિતના કાર્યો કરતી આવી છે તયારે ધ્રાંગધ્રા રોટરી ક્લબ ઓફ ના નવ નિયુક્ત પ્રેસીડન્ટ વિશાલભાઈ અઢિયા અને સેક્રેટરી કુલદીપસિંહ ઝાલા નું ધ્રાંગધ્રા દિવ્યાંગ યુનિયન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા દિવ્યાંગો ની ટિમ વિધાતા ના નિર્ણય સામે કોઈ પણ ફરિયાદ કર્યા વગર જન ઉપયોગી કાર્યોમાં ભાગીદાર બનીને સાધારણ જીવન જીવતા જન સમુદાય ને વતન અને રાષ્ટ્ર સેવા ની કેડી બતાવતી રહે છે. ત્યારે આ ટીમમાં દિવ્યાંગ યુનિયન ના પ્રમુખ તેમજ પેરા…

Read More

બાળકોમાં લોકશાહીના મૂલ્યો દ્રઢ કરવાનો પાલિતાણાની પાડેરીયા પ્રાથમિક શાળાનો પ્રયાસ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત એ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં જી-૭ દેશોના યોજાયેલા સંમેલનમાં ભારતની પુખ્ત લોકશાહી અને તેનાં પરિણામો વિશે વાત કરી હતી તે દર્શાવે છે કે, લોકશાહીનું જગતમાં કેટલું મહત્વ છે. જે દેશોમાં લોકશાહી નથી તે દેશોમાં નાગરિકોની શું હાલત છે તે દેશના નાગરિકને જઇને પૂછવું પડે. લોકશાહીમાં જે મુક્તતા અને આઝાદી છે તેવી કોઇ પણ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં નથી. તેના મૂળમાં ભારત એ યુવાનોની સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે. આ યુવાનોને યુવાવસ્થામાં જ લોકશાહીના મૂલ્યો શીખે તે માટે ભાવનગરની…

Read More

બોટાદના સખીમેળામાં ભાગ લેવા આવેલા સ્વસહાય જુથોને મળ્યો બહોળો જનપ્રતિસાદ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ગ્રામિણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાજ્યવ્યાપી સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ઉપક્રમે બોટાદના કષ્ટભંજન હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે પણ આ મેળો યોજાયો હતો. જેમાં સ્વ સહાય જુથો, કારીગરો, ખેડૂતોએ ભાગ લીધો હતો. સખીમેળો અને વંદે ગુજરાત પ્રદર્શનમાં ભાગ લેનાર જોપાળી મા સ્વસહાય જુથ, બરવાળા,બોટાદના તૃપ્તિબેન મહેતાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 10 વર્ષથી રેશમના હાથ બનાવટના જુલા બનાવીએ છીએ. બોટાદના સાળંગપુર ખાતે યોજાયેલા સખીમેળામાં અમને અનેક નવા ગ્રાહકો…

Read More

શ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢ દ્વારા આયોજિત 21 મો પ્રોત્સાહિત ઇનામ વિતરણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ

હિન્દ ન્યૂઝ, થાનગઢ સતવારા સમાજની જૂની ભોજનશાળા થાનગઢ માં 26મી જૂને રવિવારે સાંજે યોજવામાં આવ્યો. સતવારા સમાજ જ્ઞાતિ આગેવાનો દ્વારા દિપપ્રાગટ્ય કરીને તથા “સરસ્વતી પ્રાર્થના”સરસ્વતી વિદ્યામંદિરની સમાજની દીકરીઓ દ્વારા કરીને કાર્યક્રમ ની શરૂઆત કરી ઇનામ વિતરણમાં મુખ્ય દાતાશ્રી ભરતભાઇ હીરાભાઈ ચાવડા તરફથી દરેક ધોરણ 1 થી 12 તેમજ કોલેજ ના વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું તેમજ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ના સૌજન્યના દાતાશ્રી હસમુખગુરૂજી તથા રાજેન્દ્ર ગુરુજીના તરફથી ધોરણ 8 થી 12 ના પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાને આવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને તથા થેલી આપીને સન્માનિત કરવામાં આવ્યા. સમાજના…

Read More

ભાવનગરના ભેગાળી ગામના ઉપસરપંચે તેમના જન્મ દિવસની ઉજવણી બાળકોને પેન અને સ્કૂલ બેગનું વિતરણ કરીને કરી

હિન્દ ન્યુઝ, ભાવનગર ગોહિલવાડ એ સંતો અને શૂરાની ભૂમિ છે. તો સાથે દાન- સખાવત કરવાં માટે પણ આ ભૂમી પાછળ પડતી નથી. અનાથ કે વૃધ્ધો માટે જમવાં, કપડાં સહિતની વ્યવસ્થા કરવાની હોય કે સામાજિક, ધાર્મિક કોઇપણ કાર્ય હોય આ ધરાં પરથી કોઇને કોઇને મદદનો હાથ આગળ આવતો રહ્યો છે. આવાં જ એક કિસ્સામાં માત્ર ૨૩ વર્ષની ઉંમરના અને ભાવનગરના તળાજાના ભેગાળી ગામના ઉપસરપંચ પી.ડી ડાભીએ તેમના જન્મ દિવસે ગામની શાળાના ધોરણ-૧ માં પ્રવેશ મેળવેલાં ૨૦ ભૂલકાઓને પેન્સીલ અને સ્કૂલ બેગનું વિતરણ કર્યું હતું. શાળા પ્રવેશોત્સવ બે દિવસ બાદ જ રાજ્યમાં…

Read More

ભક્તકવિ નરસિંહ મહેતા યુનીવર્સીટી, જૂનાગઢ દ્રારા જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્રારકા જીલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ આજ રોજ ભક્તકવિ નરસિંહ મહેતા યુનીવર્સીટી, જૂનાગઢ દ્રારા જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્રારકા જીલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી જે પૈકી જૂનાગઢ જિલ્લા માં માન.ઇ.સી મેમ્બર ચંદ્રેશભાઈ હેરમાં ની આગેવાની હેઠળ રાધા દામોદર મંદિર , દામોદર કુંડ જૂનાગઢ ખાતે સમુહ યોગ નું આયોજન કરાયું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભક્તકવિ નરસિંહ મહેતા યુનીવર્સીટીના કુલપતિ ડૉ. ચેતન ત્રિવેદી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં નરસિંહ મહેતા યુનીવર્સીટી ના કુલસચિવ ડો. મયંકભાઈ સોની તથા સ્થાનિક કોલેજો ના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મિત્રો હાજર રહ્યા હતા. જૂનાગઢ ખાતે યોજાયેલ…

Read More

ચોમાસુ-૨૦૨૨ નાં અનુસંધાને સંભવિત આફતો સામેની તૈયારી તથા રાહત બચાવની કામગીરી અંતર્ગત ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત

હિન્દ ન્યુઝ, ભાવનગર ચોમાસુ-૨૦૨૨ નાં અનુસંધાને અતિવૃષ્ટી, પુર, ભારે વરસાદ, વાવાઝોડુ તથા અન્ય સંભવિત આફતો સામેની તૈયારી તથા રાહત બચાવની કામગીરી અંતર્ગત પ્રજાજનોની ફરીયાદ/માર્ગદર્શન મેળવવા તેમજ માહિતીની આપ-લે માટે ભાવનગર મહાનગરપાલિકા ખાતે તેમજ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે આપત્તિ વ્યવસ્થાપનનાં ભાગરૂપે ૨૪ કલાક કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. જેમાં ભાવનગર મહાનગરપાલિકા કંટ્રોલ રૂમ નં.૦૨૭૮-૨૪૩૦૨૪૫, ૦૨૭૮-૨૪૨૪૮૧૬, ઘોઘા કંટ્રોલ રૂમ નં.૦૨૭૮-૨૮૮૨૩૨૩, ઘોઘા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૬-૨૨૨૦૦૯, ઉમરાળા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૩-૨૩૫૨૩૦, વલ્લભીપુર કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૧-૨૨૨૪૩૫, પાલીતાણા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૮-૨૪૩૩૨૬, ગારીયાધાર કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૩-૨૫૨૯૨૨, મહુવા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૪-૨૨૩૦૪૨, જેસર કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૫-૨૮૧૪૦૦ તથા તળાજા કંટ્રોલ રૂમ…

Read More

ડભોડા અનુપમ પ્રાથમિક શાળા માં લેખન સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, રાધનપુર          લેખન સ્પર્ધા માં રાજ્ય કક્ષામાં બીજો નંબર પ્રાપ્ત કરેલ સૃષ્ટિબેન પરમાર ને સુહાગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટીગણ દ્વારા પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં ડભોડા ગામના ખૂબ જ ઉત્સાહિ સરપંચ ભૂપતસિંહ કાંતિજી ઠાકોર, ડભોડા અનુપમ પ્રાથમિક શાળાના ખૂબ જ કાબેલ અને મહેનતુ આચાર્ય ડો. માનસિંહભાઈ તેમજ શ્રેષ્ઠ શિક્ષકોમાં બાલાજીભાઈ, રઘુજીભાઈ અને રમેશભાઈ તેમજ બેંક રિટાયર કર્મચારી રમેશભાઈ ચૌહાણ તેમજ સક્રિય યુવા ટીમના સભ્યોએ ખૂબ મોટી સંખ્યા માં હાજરી આપી હતી. સૃષ્ટિબેન ને ઈનામ તેમજ સુહાગ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રમાણપત્ર…

Read More

રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષસ્થાને બોટાદના નાનજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે “ગરીબ કલ્યાણ સેવા સુશાસન” નો કાર્યક્રમ યોજાશે

 હિન્દ ન્યુઝ, બોટાદ                   શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના રાજ્યકક્ષાના અને જિલ્લાના પ્રભારી મંત્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષસ્થાને તા.૧૪ મી જુલાઇ, ૨૦૨૨ ને મંગળવારના રોજ સવારે ૯:૦૦ કલાકે બોટાદના નાનજી દેશમુખ ઓડીટોરીયમ, નગરપાલિકાના હોલ ખાતે કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ, સેવા સુશાસન અને કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનાના લાભાર્થીઓને લાભ આપવાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ભાગનગરના સાંસદસભ્ય શ્રીમતી ભારતીબેન શિયાળ, બોટાદના ધારાસભ્ય સૌરભભાઇ પટેલ, ગઢડાના ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર, ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઇ ગોહિલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણીની પ્રેરક ઉપસ્થિતિ…

Read More

ભાવનગર ખાતે આઈ.જી. કપ લોન ટેનિસ સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે સીદસર રોડ પર આવેલા જિલ્લા કક્ષાના રમત-ગમત મેદાન ખાતેથી આવતીકાલે સાંજે ૬-૩૦ કલાકે લોન ટેનિસ આઇ.જી. કપ ટૂર્નામેન્ટની શરૂઆત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પ્રાયોગિક ધોરણે યોજાયેલ આઇ.જી. કપને મળેલ સફળતાને ધ્યાનમાં રાખીને સતત બીજા વર્ષે પણ લોન ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, નગરપાલિકા નિયામક અજય દહીંયા અને અન્ય મહાનુભાવો તથા ખેલાડીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આ કપની શરૂઆત કરવામાં આવશે. તા. ૧૦ જૂન, ૨૦૨૨ ૨૦ થી તા. ૩૦ જૂન,…

Read More