ગ્રામીણ મહિલાઓને સ્વતંત્ર, સશક્ત અને સક્ષમ બનાવતી ‘લખપતિ દીદી યોજના’: સુરત જિલ્લાની ૫૨ હજારથી વધુ બહેનો બની ‘લખપતિ દીદી’

હિન્દ ન્યુઝ, સુરત       વડાપ્રધાનના સફળ નેતૃત્વ હેઠળ છેલ્લા ૧૨ વર્ષમાં વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના કાર્યોની શ્રુંખલા અવિરત ગતિએ આગળ વધી રહી છે. સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં છેલ્લા ૧૨ વર્ષોમાં વિકાસના અનેક નવા આયામો સિદ્ધ કરાયા છે. જિલ્લાના છેક છેવાડામાં વસતાં ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારો સુધી અનેકવિધ સરકારી યોજનાઓના લાભો પહોંચ્યા છે.આવી જ એક યોજના એટલે ‘લખપતિ દીદી યોજના’ અને ‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (મિશન મંગલમ)’, કે જે રાજ્યના ગ્રામીણ ગરીબ કુટુંબોની મહિલાઓનું ‘આર્થિક સ્વાવલંબન કવચ’ સાબિત થઇ છે.               સુરત જિલ્લાની…

Read More

રાજુલા તાલુકાના ચાંચ ગામે જનકલ્યાણ શિબિર

હિન્દ ન્યુઝ, અમરેલી     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજુલા તાલુકાના ચાંચ ગામે જનકલ્યાણ શિબિર યોજાઈ. શિબિરમાં વિવિધ સરકારી યોજનાઓ અંગે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા તેમજ લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું. સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી સરળતાથી પહોંચે તે માટે રાજુલા તાલુકા વહીવટી તંત્ર દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું. 

Read More

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) મધ્ય ગુજરાત

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       રાજ્ય સરકારની મિશન મંગલમ્ યોજના અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી મહીસાગરના ચાવડીબાઈના મુવાડા ગામની મહિલાઓએ ‘ચાવડીબાઈના મુવાડા પ્રોડ્યુસર ગ્રુપ’ની રચના કરી ‘મહિસાર હળદર પ્રોસેસિંગ’ ગૃહ ઉદ્યોગની સ્થાપના કરી; આ બહેનોએ આત્મા પ્રોજેક્ટ હેઠળ પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી ત્યારબાદ મિશન મંગલમ્ યોજના અંતર્ગત મળેલી સરકારી ગ્રાન્ટની સહાયથી આધુનિક પ્રોસેસિંગ યુનિટ શરૂ કરીને ગ્રામીણ નારી શક્તિ સમક્ષ આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. આ બહેનો હવે 10 સભ્યોના જૂથ સાથે હળદરને ધોઈ, બાફી, સૂકવી અને દળીને શુદ્ધ પાવડરનું આકર્ષક પેકિંગમાં વેચાણ કરે છે; મિશન મંગલમ્ અને NRLMના સંયુક્ત…

Read More

આહવા ખાતે ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વ પ્રદર્શન કાર્યક્રમ’ યોજાયો

હિન્દ ન્યુઝ, આહવા      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત આહવા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતા જણાવ્યું કે, “જમીનની ફળદ્રુપતા જાળવવા, સ્વસ્થ જીવન અને આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટે પ્રાકૃતિક કૃષિ અત્યંત જરૂરી છે.” ✅ ડાંગ જિલ્લો દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો તરીકે ગૌરવ પ્રાપ્ત કરી ચૂક્યો છે. ✅ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, પાક સંરક્ષણ, વૈજ્ઞાનિક પશુપાલન અને બાગાયતી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ✅…

Read More

પરંપરાગત કૃષિ છોડીએ, અપનાવીએ ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ

હિન્દ ન્યુઝ, ભુજ     કૃષિ ક્ષેત્રે સકારાત્મક પરિવર્તનો છે. રાજ્યમાં ખેડૂતો પરંપરાગત કૃષિ છોડી ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યા છે. ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયનું અનેરું મહત્વ છે. જમીનના ભૌતિક અને જૈવિક સ્વાસ્થ્યની ખામીને કારણે, જમીનમાં પોષક તત્વોની ઉણપ ન હોવા છતાં સારું ઉત્પાદન મેળવવામાં મુશ્કેલી થાય છે. જમીનમાં છોડને યોગ્ય પ્રમાણમાં ભેજ અને પોષક તત્વો ઉપલબ્ધ નથી થઈ શકતા અને વરાપ તથા ભેજનું નિર્માણ નથી થઈ શકતું. જો જમીનના જૈવિક સ્વાસ્થ્યમાં સુધારો થઈ જાય તો ઓછા પ્રમાણમાં પોષક તત્વો ઉપલબ્ધ થવા છતાં પણ સારું ઉત્પાદન લઈ…

Read More

આહવામાં પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર, (FPO) ખુલ્લું મુકાયું: નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના હસ્તે લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ડાંગ        ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલના વરદહસ્તે આહવાના સાપુતારા ચાર રસ્તા, પટેલપાડા ખાતે સ્થાયી પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જિલ્લાના ગ્રાહકોને એક જ જગ્યાએથી શુદ્ધ પ્રાકૃતિક આહાર મળી રહે અને સ્થાનિક ખેડૂતોને તેમના ઓર્ગેનિક ઉત્પાદનોનું યોગ્ય બજાર મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે આ કેન્દ્ર શરૂ કરાયું છે. ‘આહવા તાલુકા નેચરલ ફાર્મ પ્રોડક્ટ પ્રોડ્યુસર કંપની લિમિટેડ’ (FPO) દ્વારા સંચાલિત આ કાયમી વેચાણ કેન્દ્ર પરથી નાગલી, દેશી ચોખા, કઠોળ અને બિયારણો એક…

Read More

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી આ વિચારને માત્ર ઉજવતી નથી, પરંતુ વર્ષના ૩૬૫ દિવસ જીવતી પણ રહે છે.

હિન્દ ન્યુઝ, જૂનાગઢ       જૂનાગઢની ધરતી ગિરનારની ગોદમાં વસેલી છે. અહીંનો પવન પણ પ્રકૃતિની સુગંધ લઈને ફરે છે. પરંતુ આ હરિયાળી માત્ર કુદરતની દેન નથી; તેની પાછળ વર્ષોનું જતન, સંવેદના અને સમર્પણ પણ છુપાયેલું છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જ્યારે સમગ્ર વિશ્વ પર્યાવરણ સંરક્ષણની વાત કરે છે ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી આ વિચારને માત્ર ઉજવતી નથી, પરંતુ વર્ષના ૩૬૫ દિવસ જીવતી પણ રહે છે. લોકો સહિત સૌના સહિયારા પ્રયાસથી જૂનાગઢ મોતીબાગ કેમ્પસ માત્ર જૂનાગઢનું નહીં પણ ગુજરાતનું નજરાણું છે.    જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાના શબ્દોમાં, “પ્રકૃતિને…

Read More

માઈક્રોફાઈનાન્સ ઈન્ડસ્ટ્રી નેટવર્ક (MFIN) દ્વારા સુરતમાં નાણાકીય સાક્ષરતા અને જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત      ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા માન્યતા પ્રાપ્ત NBFC-MFI માટે રાષ્ટ્રીય સ્તરના સ્વ-નિયમનકારી સંગઠન ‘માઈક્રોફાઈનાન્સ ઈન્ડસ્ટ્રી નેટવર્ક (MFIN)’ દ્વારા સુરતના લક્ષ્મીબાઈ કોમ્યુનિટી હોલમાં નાણાકીય સાક્ષરતા અને જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો.            બંધન બેંક, બેલસ્ટાર માઈક્રોફાઈનાન્સ, ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંક, HDFC બેંક અને L&T ફાઈનાન્સના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં જી. એ. સરવૈયા (ACP, ઈકોનોમિક ઓફેન્સ વિંગ, સુરત પોલીસ), દિનેશ આર. (લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર, બેંક ઓફ બરોડા, સુરત), રૂપેશ આર. પનિકર (DDM – AGM, નાબાર્ડ, સુરત), પશુ અતકાલીકર (ડાયરેક્ટર, રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ,…

Read More

વાપી મનપા દ્વારા જનકલ્યાણ શિબિરનો પ્રારંભ, ૩૦૦ લાભાર્થીઓને માર્ગદર્શન અપાયું

હિન્દ ન્યુઝ, વાપી      વાપી મહાનગરપાલિકા દ્વારા ચલા ઝોન ઓફિસ ખાતે કમિશ્નરશ્રી એન.એફ.ચૌધરી, મેયરશ્રી દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયરશ્રી મિતેશભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષશ્રી સતીષભાઈ પટેલ વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં યુસીડી શાખા દ્વારા ત્રણ દિવસની જન કલ્યાણ શિબિરનો તા.૧૭/૦૬/૨૬ ના રોજ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.      રાજ્યની પ્રજા સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી બહોળા પ્રમાણમાં પહોંચે તથા આ યોજનાઓનો મહત્તમ લાભ પ્રજાજનોને મળે તેમજ વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત ૨૦૪૭ નું ધ્યેય સાકાર કરવા માટે તેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની મુખ્ય યોજનાઓનો આ શિબિરમાં સમાવેશ કરવામાં…

Read More

ઇબોલા પ્રભાવિત ડીઆર કોંગોમાં ફસાયેલા ભુજનાં પ્રોફેસરને ગુજરાત સરકારે રાજદ્વારી સંબંધો થકી વતન વાપસી કરાવી

ભુજ (કચ્છ) સ્થિત શ્રી આર.આર. લાલન કોલેજના સહાયક પ્રાધ્યાપક ડૉ. અમીન સમા ઇબોલા પ્રભાવિત ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ફસાયા હતા અને તેમણે ગુજરાત સરકાર પાસે મદદ માંગી હતી ગુજરાત સરકાર, એનએસજીએફ અને ભારતીય રાજદ્વારી મિશનોની ત્વરિત કાર્યવાહીના પરિણામે ડૉ. અમીન સમાને ભારત પરત ફરવા માટે જરૂરી કાનૂની મંજૂરીઓ મળી “વિશ્વના કોઈપણ ખૂણે મુશ્કેલીમાં મુકાયેલા ગુજરાતીઓ અને ભારતીય નાગરિકોને શક્ય તેટલી સહાય પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતા છે. ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશન, વિદેશ મંત્રાલય અને ભારતીય રાજદ્વારી મિશનોના સંકલિત પ્રયાસોથી અમે એક પડકારજનક આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં ફસાયેલા નાગરિકને સમયસર મદદ અને સહાયતા પૂરી…

Read More