હિન્દ ન્યૂઝ, રાજકોટ
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. આ પથ્થરમારામાં બે લોકોને ઇજાઓ પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને શહેરની સિવિલ હોસ્પિટલમાં સારાવાર માટે લઇ જવામાં આવ્યાં હતા. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિને થાળે પાડી હતી. જેમાં ૨ યુવકોને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. માલવીયાનગર પોલીસે ટોળાને વિખેર્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ