ગીર સોમનાથ ના ગંગાનગર આવાસ યોજના ના રહેવાસીઓની ફરિયાદ નું નિવાકરણ ના અનુસંધાને કોંગ્રેસ ની બેઠક યોજાઈ

ગીર સોમનાથ,

તા,૩,૯,૨૦૨૦ ના રોજ ગંગાનગર આવાસ યોજના ના રહેવાસી ઓની ફરિયાદ નું નીવાકરણ ના અનુસંધાને શહેર કોંગ્રેસ સંગઠન ના પ્રમુખ દિનેશ ભાઈ રાયઠઠ્ઠા, પ્રમુખ દેવીબેન ગોહેલ, ઉપ પ્રમુખ અશ્વિન સુયાણી, ઉપપ્રમુખ યજ્ઞેશ સીરોદરિયા, અનુસૂચિત જાતિ ના આગેવાન નરેશ ચાવડા, સોશ્યિલ મિડયા ના યોદ્ધા ખંજન જોષી, દિનેશ સામનાણી, હરેશ ચારિયા ની આગેવાની હેઠળ સંગઠન ના પ્રતિનિધિઓ એ સ્થળ નું જાતે નિરીક્ષણ કરેલ. અને તાત્કાલીન ધોરણે આવાસ યોજના ની સફાઈ નું કામ તથા ગટર ના ગંદા પાણી નો નિકાલ કરવા માટે ત્યાં ના રહેવાસીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી અને ભવિષ્ય માં ત્યાં ના લોકો ને કોઈ મુશ્કેલી ના પડે તે માટે કાયમી ધોરણે આ પ્રશ્ન નું નિરાકરણ કરવા માટે તૈયારી દર્શાવી છે. અને શાસક પક્ષ ની સામે આવનાર સમય માં જો અપવાસ આંદોલન કરવું પડશે તો પણ કરીશું તેવો વિશ્વાસ આપેલ છે. અહીં ઉલ્લેખનીય છે કે અગાવ થોડા દિવસ પેલા આવાસ યોજના ના બહેનો ધારાસભ્ય ને રજુવાત કરેલ હતી ત્યારે પણ ધારાસભ્ય એ વેરાવળ પાટણ સંયુક્ત નગર પાલિકા ના ચીફ ઓફિસર ને ફોન થી ત્યાં ની પરિસ્થિતિ થી માહિતગાર કરેલ હતા.

રિપોર્ટર : સઈદ મહિડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment