કોડીનાર તાલુકા ખેડૂત મંડળ અને કિશાન એકતા સમિતિ દારા મુખ્યમંત્રીને સંબોધી કોડીનાર મામલતદારને આવેદનપત્ર આપ્યું….

ગીર સોમનાથ,

ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદનાં કારણે જિલ્લાનાં તમામ તાલુકાનાં ખેડૂતોને મોટાપાયે નુકશાન થયું હોય વળતર આપવા કરી માંગ…

લીલી નાઘેર એવા આ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ હોય જિલ્લાની હજારો વિઘા ખેતીની જમીનમાં ઉભેલો પાક નાશ પામ્યો હોય જગતનો તાત બિચારો બન્યો છે.

સોયાબીન,મગફળી સહિતનાં પાકો નાશ પામ્યા છે ત્યારે મુખ્યમંત્રીશ્રી ગીર સોમનાથ જિલ્લામાં ‘લીલો દુષ્કાળ’ જાહેર કરી કિસાનોને 100 ટકા વળતર આપે તેવી આવેદનમાં કરી માંગ.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment