ગઢડા ખાતે મોહદ્દીસે આઝમ મિશન દ્વારા ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું

ગઢડા,

આજરોજ ગઢડા સ્વામી. મા મોહદ્દીસે આઝમ મિશન ગઢડા દ્વારા ઇમામ હુસૈન આર. અ. ની યાદ મા ગરીબ જરૂરત બીમાર લોકોને ફ્રૂટ ની કીટ આપવામાં આવી તેમજ આ કામ જોઈને ગઢડા ના પ્રખ્યાત ડૉક્ટર જી. વી. કળથીયા દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું, આ કામ મા સાબીરભાઈ પરમાર, સલીમભાઇ આરબીયાની, ઈરફાનભાઈ લખાણી, અમીનભાઈ પરમાર, ગફુલભાઈ ખીમાણી, ઉવેશભાઈ આરબીયાની વગેરે લોકો જોડાયેલ હતા.

આ પ્રોગ્રામ ને સફળતા પૂર્વક યોજાયો એ બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમજ આ ફ્રૂટ વિતરણ મા જે કોઈએ જે રીતે સાથ સહકાર આપ્યો એ બધાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ફ્રૂટ કીટ લેવા વાળા દર્દી તેમજ જરૂરિયાત મન્દ લોકોએ ખુબ જ આશીર્વાદ આપ્યા હતા. કુદરત આ મોટી મહામારીને દૂર કરે એવી પ્રાર્થના પણ કરી હતી.

રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Related posts

Leave a Comment