હિન્દ ન્યુઝ, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ‘વિકાસ ભી, વિરાસત ભી’નો મંત્ર ગુજરાતમાં ચરિતાર્થ; છેલ્લા 12 વર્ષમાં ગુજરાતમાં સ્મૃતિવન, દાંડી કુટિર, વડનગર એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમ, નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી મ્યુઝિયમ જેવાં અનેક મ્યુઝિયમનું નિર્માણ.
AR, VR, 3D પ્રોજેક્શન મેપિંગ, હોલોગ્રામ અને ઇન્ટરેક્ટિવ ટચસ્ક્રીન જેવી આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સંગ્રહાલયોમાં વારસાની પ્રત્યક્ષ અનુભૂતિ; છેલ્લા 2 વર્ષમાં 16 લાખથી વધુ નાગરિકોએ વિવિધ મ્યુઝિયમને નિહાળ્યા.
