જોડિયા,
આજ રોજ જોડિયા તાલુકાના લીંબુડા ગામે હડિયાણા પ્રા. આ.કેન્દ્ર ની ટીમ દ્વારા કોરોનાની મહામારી નો સમયે સરકારના આદેશ મુજબ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ખેડૂતોનો કિંમતી સમય બગડે નહીં એટલા માટે ડોક્ટરોની ટીમ લીંબુડા ખાતે આવી પહોંચી હતી અને ગ્રામજનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાં જે.ડી. ભેસદડીયા, સીઆઇ વાઘેલા, આર બી ગોહિલ, કે.પી છૈયા અને શીલા બેન ડી નિમાવત દ્વારા ગ્રામજનોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમજ કોરોના વોરિયર્સ શીલા બેન દિનેશ ભાઈ નિમાવત આશાવર્કર નુ સન્માન વિશ્વ હિન્દુ પરિષદ ના જોડિયા તાલુકાના પ્રમુખ પ્રવીણભાઈ કુરજીભાઈ મારવણીયા દ્વારા કરવામાં આવેલ હતું.
રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા