૭૪માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી દ્વારા યુનિવર્સિટી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ

રાજકોટ,

તા.૧૫.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણીએ ૭૪માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે ભારત દેશ એ વિવિધતામાં એકતાનો દેશ છે. અનેક વીરો, શહીદો, મહાપુરુષો, રાષ્ટ્રપુરુષોના બલીદાન અને શહીદીને કારણે આપણો દેશ આઝાદ થયો છે. માન. ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભારત દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ આપણા લોકલાડીલા છે. આજે આપણો દેશ વિશ્વફલક પર ઉચ્ચતાના શીખરો સર કરી રહ્યો છે. ઉપકુલપતિ એ જણાવ્યું હતું કે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણને આવા ખમીરવંતા વડાપ્રધાન મળ્યા છે.

ઉપકુલપતિ એ ગુજરાત રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સુત્ર હારશે કોરોના, જીતશે ગુજરાત અને રૂકેંગે નહીં, જુકેંગે નહીં ને યાદ કરી જણાવ્યું હતું કે કોરોનાના આ કપરા સમયમાં મુખ્યમંત્રી એ પોતાની સંવેદના દાખવી અનેકવિધ પ્રજિલક્ષી નિર્ણયો કરીને રાજયને દેશમાં વિકાસપથ પર અગ્રેસર કર્યું છે. આ પ્રસંગે સિન્ડિકેટ સભ્ય ડો.ગીરીશભાઈ ભીમાણી, કુલસચિવ ડો.જતીનભાઈ સોની, ભવનોના અધ્યક્ષઓ, પ્રાધ્યાપકઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment