ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ ઓકટોમ્બર ના યોજાશે

હિન્દ ન્યુઝ, ઘોઘા 

ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો માહે : ઓકટોમ્બર – ૨૦૨૪ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩/૧૦/૨૦૨૪ નાં રોજ સવારનાં ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે મદદનીશ કલેકટર, ભાવનગરનાં અધ્યક્ષપદે યોજાનાર છે.

આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા.૧૬/૧૦/૨૦૨૪ સુધીમાં રજાનાં દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે.

આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાનાં પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતની અરજીઓ સ્વીકારવામાં આવશે. સામુહિક રજુઆતો કરી શકશે નહી તેમ ઘોઘા મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment