ભાવનગરમાં ગરીબ કલ્યાણ મેળા સાથે સ્વચ્છતાનો સંદેશ

સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા 

હિન્દ ન્યુઝ, ભાવનગર 

   ભાવનગરમાં અટલ ઓડીટોરિયમ ખાતે યોજાયેલ 14 માં ગરીબ કલ્યાણ મેળામાં સ્વચ્છતા અભિયાન- ૨૦૨૪ અંતર્ગત “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” થીમ અંતર્ગત સ્ટોલ સાથે સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.

ભાવનગર જિલ્લામાં આજની થીમ મુજબ ગરીબ કલ્યાણ મેળામાં “સ્વચ્છતા હી સેવા” સેલ્ફી પોઇન્ટ પર ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી જી.એચ. સોલંકી, તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ એ સેલ્ફી લઈને દરેકને પ્રોત્સાહિત કર્યા હતાં અને આ કામગીરી સારી રીતે આગળ કરતા રહો એવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Related posts

Leave a Comment