હિન્દ ન્યુઝ, આણંદ
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પયાર્વરણ જાળવણીના અનુસંધાનમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વાસદ ખાતે સેમિનાર તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં સંસ્થાના આચાર્યશ્રીએ પર્યાવરણ જાળવણી સંદર્ભે વૃક્ષારોપણ પણ ભાર મૂકવાની હિમાયત કરી હતી.તેમણે તાલીમાર્થી વિદ્યાર્થીઓને પણ પર્યાવરણની જાળવણી માટે સંકલ્પબધ્ધ કર્યા હતા.
વધુમાં આ વેળાએ તાલીમાર્થી વિદ્યાર્થીઓએ પર્યાવરણ દિનની ઉજવણી પ્રસંગે વક્તવ્ય આપ્યું હતું. જેમાંથી પ્રથમ પાંચ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઓદ્યાગિક તાલીમ સંસ્થાના મેનન કાલી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
Advt.