ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વાસદ ખાતે પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ

   વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પયાર્વરણ જાળવણીના અનુસંધાનમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વાસદ ખાતે સેમિનાર તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

        આ કાર્યક્રમમાં સંસ્થાના આચાર્યશ્રીએ પર્યાવરણ જાળવણી સંદર્ભે વૃક્ષારોપણ પણ ભાર મૂકવાની હિમાયત કરી હતી.તેમણે તાલીમાર્થી વિદ્યાર્થીઓને પણ પર્યાવરણની જાળવણી માટે સંકલ્પબધ્ધ કર્યા હતા.

        વધુમાં આ વેળાએ તાલીમાર્થી વિદ્યાર્થીઓએ પર્યાવરણ દિનની ઉજવણી પ્રસંગે વક્તવ્ય આપ્યું હતું. જેમાંથી પ્રથમ પાંચ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા.

        આ પ્રસંગે ઓદ્યાગિક તાલીમ સંસ્થાના મેનન કાલી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.


Advt.

Related posts

Leave a Comment