આણંદ ખાતે તા. ૨૭મી જુનના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ

 આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૭/૦૬/૨૦૨૪ ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી કોન્ફરન્સ હોલ, આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે આગામી તા.૧૦/૦૬/૨૦૨૪ સુધીમાં સબંધિત કચેરીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે.

આ ઉપરાંત અરજદારો સ્વાગત કાર્યક્રમની વેબસાઈટ http://swagat.gujarat.gov.in પર પણ ઓનલાઈન અરજી કરી શકશે. અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે.

અરજી બે નકલમાં ટૂંકમાં, સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરમાં કરવાની રહેશે. અરજદારોએ પ્રશ્નના કવર તેમજ અરજી ઉપર જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭/૦૬/૨૦૨૪ એમ લખવાનું રહેશે. અરજદારે અરજીની અંદર પોતાનું નામ તથા સરનામુ અને સંપર્ક નંબર અથવા પોતાનો ટેલીફોન કે મોબાઇલ નંબર અવશ્ય લખવાનો રહેશે.

જે અરજદારોના પ્રશ્નો જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવામાં આવ્યા હોય તે અરજદારોને તા.૨૭/૦૬/૨૦૨૪ સવારે ૧૦-૦૦ કલાકે જાતે નામ નોંધણી કરાવીને કલેકટર કચેરી, કોન્ફરન્સ હોલ, આણંદ ખાતે રૂબરૂ હાજર રહેવા કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.


Advt.

Related posts

Leave a Comment