વેરાવળ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ”મન કી બાત” જીવંત પ્રસારણ નિહાળતા ભાજપ કાર્યકર

હિન્દ ન્યુઝ, વેરાવળ 

     તા. 30 જૂન રવિવાર ના રોજ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો ”મન કી બાત” કાર્યક્રમ નું લાઈવ પ્રસારણ વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકીયા ના ઘરે નિહાળવાનું આયોજન કરવામાં આવેલ તેમજ મોદી દ્વારા ખુબ સરસ માહિતી અને માર્ગદર્શન આપેલ. જેમાં કેરળમાં આ ઋતુ માં છત્રીઓ બનાવવાનું મહિલાઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે. ‘લોકલ ફોર વોકલ’ આ છત્રીઓનું વિતરણ કરવામાં આવે છે આમ ઘણી બધી રસપ્રદ માહિતીઓ આપેલ.

આ કાર્યક્રમ માં વેરાવળના વિવિધ વોર્ડ માંથી મહિલાઓ ઉપસ્થિત રહેલ જેમાં મહામંત્રી સવિતાબેન મહેતા, ભાનુબેન તોતીયા, મિતલબેન પંડ્યા, આરતીબેન વણિક, આરતીબેન વણિક, રસીલાબેન વાઘેલા, નાથીબેન છેલાણા, જાગુબેન, સવિતાબેન સાંખલા, પાર્વતીબેન મહેતો, જ્યોતિબેન, જનકબેન વગેરે બહોળી સંખ્યામાં મહિલાઓ સાથે મન કી બાત કાર્યક્રમ નિહાળવામાં આવેલ. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પ્રદેશની સૂચના મુજબ ”એક પેડ માં કે નામ” અંતર્ગત માં ના નામ ઉપર વૃક્ષો નું વાવેતર કરવામાં આવેલ.


Advt.

 

Related posts

Leave a Comment