જામનગર જિલ્લાના ખેડૂતો માટે કપાસ પાકના વાવેતર માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર

    હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ચોમાસાની સીઝન તારીખ 19 જૂનથી શરુ થવાની શક્યતા રહેલી છે. તેથી કપાસ પાકના આગોતરા વાવેતર માટે જે ખેડૂતોને પિયતની સગવડ હોય તો તે ખેડૂતોએ વાવેતર કરવું જોઈએ. અન્યથા બીજા પાકના ઉત્પાદનમાં અસર પહોંચવાની શક્યતા રહેલી છે. તેથી જિલ્લાના ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત રીતે લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.

બિયારણની ખરીદી સમયે ખેડૂતોએ વેપારી પાસેથી તેનું પૂરું નામ, લાયસન્સ નંબર, સરનામું, જે બિયારણ ખરીદેલું હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદ્દત પુરી થવાની વિગતો દર્શાવતું સહી સાથેનું બિલ અવશ્ય લેવું જોઈએ. કોઈપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ના ધરાવતા હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી કયારેય પણ બિયારણની ખરીદી કરવી જોઈએ નહીં. જેથી ખેડૂતો સાથે છેતરપિંડી ના થાય.

રાજ્યમાં કપાસ પાકના વાવેતર માટે જરૂરી બીટી કપાસના બિયારણ અને રાસાયણિક ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂતોએ કપાસની એક જ જાતનું વાવેતર ના કરતા બજરમાં ઉપલબ્ધ વિવિધ જાતોનું વાવેતર કરવું જોઈએ. જેથી સંભવિત જોખમ નિવારી શકાય.

આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ બિયારણ અને ખાતરની જરૂરિયાત મુજબ જુદી-જુદી જાત અને જુદા-જુદા ગ્રેડની આગોતરી ખરીદી કરવી જોઈએ. બિયારણના કાળા બજાર, અનઅધિકૃત બિયારણનું વેચાણ કરવામાંં આવતુંં હોય અને રાસાયણિક ખાતરોની સાથે નેનો ખાતર સિવાયના અન્ય ખાતરો ફરજીયાત રીતે આપવામાં આવતા હોવાની બાબત જો ધ્યાનમાં આવે, તો તે અંગે તુરંત જ જે-તે તાલુકાના ખેતીવાડી અધિકારીને અથવા અત્રેની કચેરીના ફોન નંબર 0288-2551137 પર જાણ કરવાની રહેશે. તેમ નાયબ ખેતી નિયામક વિસ્તરણ બી.એમ.આગઠ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યુંં છે.


Advt.

 

 

 

Related posts

Leave a Comment