કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા આવતીકાલ તા.૨૪ ફેબ્રુઆરીના રોજ જામનગરની મુલાકાતે

હિન્દ ન્યુઝ, જામનગર

   પંચકોશી સમસ્ત ભરવાડ સમાજ દ્વારા જામવંથલી ખાતે આવતીકાલ તા.૨૪ ફેબ્રુઆરીના રોજ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલા અને બાળ કલ્યાણ,સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહી સમૂહલગ્નમાં ભાગ લેનાર ૧૦૦ યુગલોને સાત ફેરા સમૂહલગ્ન યોજના હેઠળ યુગલદીઠ રૂ.૧૨,૦૦૦ તેમજ ૧૦૦ કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ રૂ.૧૨,૦૦૦ની સહાય તેમજ સમુહલગ્નનું આયોજન કરનાર સંસ્થાને પ્રોત્સાહન સહાયરૂપે રુ.૭૫,૦૦૦ની સહાય ચૂકવશે. આમ સમૂહલગ્નમાં કુલ રૂ.૨૪,૭૫,૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે.

 

 

 

 

Related posts

Leave a Comment