પુરવઠા અધિકારીની કચેરી દ્વારા વાજબી ભાવની દુકાનદારોને સિંગતેલ વિતરણ કરવા માટે સૂચના

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

    છોટાઉદેપુર જીલ્લા પુરવઠા અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે રાજયમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ માહે જાન્યુઆરી-૨૦૨૪ના મહિના માટે ગોડાઉન ખાતે ખાધતેલના જથ્થાની પરમીટ આપવામાં આવશે. જેને ધ્યાનમાં રાખીને તમામ તાલુકાના વાજબી ભાવની દુકાનના સંચાલકો ફરજીયાતપણે ચલણ જનરેટ કરી ચલણના નાણા ભરે તે માટે સૂચન કરવામાં આવ્યું છે. પુરવઠા અધિકારીશ્રી દ્વારા નિગમના ગોડાઉનો ખાતેથી વાજબી ભાવની દુકાનો સુધી સમયસર જથ્થો પહોચતો થાય તે માટે તકેદારી રાખવા મામલતદારો ને સુચના આપવામાં આવી છે.

 

Related posts

Leave a Comment