હિન્દ ન્યુઝ, ભાવનગર
વિકસીત ભારત સંકલ્પ યાત્રા પાલીતાણા તાલુકાનાં બહાદુરગઢ ગામે આવી પહોંચતા સ્થળ પરના લાભાર્થી ભુપતભાઈ બાથાણી ને આયુષ્યમાન કાર્ડ મળ્યું હતું.
આ તકે ભુપતભાઈ બાથાણી એ જણાવ્યું હતું કે વિકસીત ભારત સંકલ્પ યાત્રા એમના ગામ બહાદુરગઢ આવતા એમને ઘર આંગણે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ નીકળી ગયું હતું, આથી એમને હવે આરોગ્ય પ્રત્યેની ચિંતા માંથી મુક્તિ મળી છે.
પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ થકી કેન્દ્ર સરકાર ની પાંચ લાખ અને રાજ્ય સરકાર તરફથી પાંચ લાખ એમ કુલ દસ લાખનું સુરક્ષા કવચ મળે છે.