જસદણ ના ઘેલા સોમનાથ નજીક રિવરફ્રન્ટ બનાવાશે: કલેકટર તંત્રનો નિર્ણય

હિન્દ ન્યુઝ, જસદણ

     જસદણ ઘેલા સોમનાથ નજીક રિવરફ્રન્ટ બનાવા માટે કલેકટર તંત્રનો નિર્ણય ઐતિહાસિક રીતે ભારે મહત્વ ધરાવતા જસદણ તાલુકાના ઘેલા સોમનાથ મહાદેવ મંદિરની તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી ત્યારે અહીં વિકાસ કામો માટે રૂપિયા 10 કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી દ્વારા ફાળવવામાં આવેલી આ રકમમાંથી મંદિર નજીક રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ હાથ ધરવાનો નિર્ણય જિલ્લા કલેકટર તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે તેમજ મંદિરમાં યાંત્રિક પદ્ધતિથી ધ્વજારોહણ થઇ શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે. આ ઉપરાંત રહેવા માટેની અલગથી વધારાની વ્યવસ્થા કરવામાં આવશે. મંદિરના પરિસરના વિકાસ માટે પણ અનેક મહત્વના કામ હાથ ધરવામાં આવનાર છે

તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ

Related posts

Leave a Comment