ઉમરપાડા તાલુકાના નાના સુતખડકા ગામે એક દિવસીય ખેડૂત તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે નાયબ બાગાયત નિયામકની કચેરી, સુરત દ્વારા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નાના સુતખડકા ગામે એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મદદનીશ બાગાયત નિયામક ડો.ક્રિષ્ના ડી.પટેલે બાગાયત પાકોની પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે તથા બાગાયતી પાકોના મુલ્યવર્ધન ઉપર માર્ગદર્શન આપ્યું હતું. હિરલબેન ચૌધરી, બાગાયત અધિકારી-ઉમરપાડા દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અને પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો એન્ડ સ્મોલ સ્કેલ ફૂડ પ્રોસેસીંગ એન્ટરપ્રાઈઝીજ (PMFME) વિશેની ખેડૂતોને જાણકારી આપવામા આવી હતી. સાથે જ અમરસિંગભાઈ દ્વારા ખેતીવાડીની યોજના અંગે માર્ગદર્શન અને પ્રગતિશીલ ખેડૂતોને માહિતીગાર કરવામાં આવ્યા હતા. આ અવસરે કુમારી અંકિતાબેન પી. હળપતિ (બાગાયત અધિકારી-બારડોલી), તાલુકા પંચાયત સભ્ય ગુલાબભાઈ વસાવા, સરપંચ દક્ષાબેન સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment