વડાપ્રધાનની મુલાકાતને લઇને સભાસ્થળ ફરતાં રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે જાહેરનામુ બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભુજ

ભારતના વડાપ્રધાનના ભાવનગર ખાતેના આગામી તા.૦૬/૧૧/૨૦૨૨ નાં પ્રવાસ કાર્યક્રમ અન્વયે રોડ, સભાસ્થળ ફરતાં રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તે માટે તા. ૦૬/11/૨૦૨૨ના રોજ કલાકઃ ૧૫-૦૦ થી કલાકઃ ૨૦-૦૦ સુધી નીચે દર્શાવેલ રસ્તાઓ પર તમામ વાહનો (સરકારી ફરજ તથા મેડિકલ ઈમરજન્સી સિવાયના) ની અવર-જવર માટે સંપૂર્ણપણે બંધ કરવાં વાહન પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવાં અંગે પોલીસ અધિક્ષક, ભાવનગરના પત્ર નં. એલઆઈબી/જા.ના./૪૫૧૫/ ૨૦૨૨, તા.૨૪/૦૯/૨૦૨૨થી દરખાસ્ત રજૂ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાય છે. ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર બી.જે. પટેલે તા.૦૬/૧૧/૨૦૨૨ના રોજ કલાકઃ ૧૫-૦૦ થી કલાકઃ ૨૦-૦૦ સુધી નીચે દર્શાવેલ રસ્તાઓ પર પ્રવેશબંધી જાહેર કરી છે.

જવાહર મેદાન ફરતાં તમામ રસ્તાઃ

(૧) આતાભાઇ ચોકથી પ્લોટ ગેઇટ પોલીસ ચોકી સુધી- ગુરૂદ્વારા સામેના રોડથી.
(ર) રાધામંદિરથી રબ્બર ફેક્ટરી રોડ સુધી
(૩) રબ્બર ફેક્ટરી સર્કલથી ઘોઘાસર્કલ સુધી
(૪) ઘોઘા સર્કલથી ગોળીબાર હનુમાનજી મંદિર તરફ જતો રસ્તો-રૂપાણી સર્કલ સુધી

ડાયવર્ઝન રૂટ:-

ઉપરોક્ત બંધ રસ્તે આવતા વાહનો માટેનો ડાયવરર્ઝન રૂટ:- આતાભાઇ ચોકથી સેન્ટ્રલ સોલ્ટ તરફ, રાધા મંદિરથી સંત કવરામ ચોક, રસાલા કેમ્પ તરફ, રબ્બર ફેક્ટરીથી જોગર્સ પાર્ક, ક્રેસન્ટ તરફ, ઘોઘા સર્કલથી રૂપાણી તરફ.

આ જાહેરનામા અન્વયે જાહેર સેવા તંત્ર સાથે સંકળાયેલા અને ફરજ પરના વાહનોને તથા અધિકારીશ્રી/કર્મચારીઓને આ જાહેરનામામાંથી મુકિત આપવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલાં લેવાં માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવાં ફરજ પરના અધિકારીને અધિકાર રહેશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગરના જાહેરનામામાં જણાવાયું છે.

Related posts

Leave a Comment