૦૫-ગાંધીધામ (અ.જા.) વિધાનસભા સામાન્ય-૨૦૨૨ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરી શકાશે

હિન્દ ન્યુઝ, ભુજ

૦૫-ગાંધીધામ (અ.જા.) વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારના ૧૧ કલાક થી બપોરના ૧૫ કલાક દરમ્યાન ચૂંટણી અધિકારી, ૦૫-ગાંધીધામ (અ.જા.) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, નખત્રાણા દ્વારા મામલતદાર કચેરી, કચ્છ કલા રોડ, સેકટર-૧/એ, ગાંધીધામ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર, ગાંધીધામ તાલુકા દ્વારા મામલતદાર કચેરી, કચ્છ કલા રોડ, સેકટર ૧/એ, ગાંધીધામ ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યે મામલતદાર કચેરી, ગાંધીધામ ખાતે હાથ ધરવામાં આવશે. તા.૧૭/૧૧/૨૦૨૨ના રોજ બપોરનાં ૩-૦૦ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. મતદાન તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ સવારના ૮-૦૦ કલાક થી સાંજના ૫-૦૦ કલાક વચ્ચે થશે તેવું ડો.મેહુલ બરાસરા, ચૂંટણી અધિકારી, ૫-ગાંધીધામ (અ.જા.) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, નખત્રાણા દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment