હિન્દ ન્યુઝ, ભુજ
આગામી દિવાળીના તહેવારો અન્વયે ભુજ શહેરના અંદરના વિસ્તારો જેવા કે જુની શાક માર્કેટ, તળાવ શેરી, વાણિયાવાડ નવી શાક માર્કેટ, મહેરઅલી ચોક, અનમ રીંગરોડ, છઠ્ઠીબારી રીંગરોડ, વિગેરે વિસ્તારોમાં ખૂબ જ ભીડ રહેતી હોઈ તેમજ આ વિસ્તારોમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોઈ વાહનો આડેધડ પાર્ક થતા હોઈ ટ્રાફિકની સમસ્યા ખુબ જ વણસી જાય છે. આ વિસ્તારોના ૨સ્તાઓ ૫૨ ટ્રાફિક નિયમન માટે પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ-ભુજના તા.૧૩/૧૦/૨૦૨૨ વાળી દરખાસ્ત અન્વયે મિતેશ પંડયા, અધિક જિલ્લા મજિસ્ટ્રેટ, કચ્છ ભુજ દ્રારા ગુજરાત પોલિસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી)અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ જાહેરનામું ફ૨માવવામા આવ્યું છે.
આ જાહેરનામાં અન્વયે તા.૧૬/૧૦/૨૦૨૨થી તા.૨૫/૧૦/૨૦૨૨ સુધી સવારના ૮.૦૦ થી રાત્રિના ૨૨.૦૦ કલાક સુધી થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનો છઠ્ઠીબારી રીંગરોડ, અનમ રીંગરોડ અને વાણીયાવાડ નવી શાક માર્કેટથી અંદર જતા રસ્તા પર પસાર થઈ શકશે નહીં.
વૈકલ્પિક વ્યવસ્થા રૂપે છઠ્ઠીબારી રીંગરોડ નજીક આવેલ ૨સ્તા પ૨થી મોડર્ન ટોકિઝ પરથી આ વિસ્તારના રહેવાસીઓ આવ-જા કરી શકશે. વાણિયાવાડ નવી શાક માર્કેટથી તથા અનમ રીંગરોડની આસપાસના રહેવાસીઓ પંચમુખા હનુમાન શેરીથી આવ-જા કરી શકશે. આ જાહેરનામું સરકારી ફરજ પરના વાહનો, ફાયર ફાઈટર તેમજ પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ, ભુજ અધિકૃત કરે તેવા વાહનોને લાગુ પડશે નહીં.