ભરતીમેળા દ્વારા રોજગાર મેળવવાની સુવર્ણ તક

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકાનાં રોજગાર ઇચ્છુકોને રોજગાર પ્રાપ્ત થાય તેવા હેતુસર ટેક્ષપીન બેરિંગ્સ લીમીટેડના યુનિટ ૧ અને ૨-રાણપુર ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે રોજગાર ઇચ્છુકોની ૧૮થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાઓને અનુરૂપ ધોરણ-૧૦ અથવા આઈ.ટી.આઈ ઇન ટેક્નીકલ ટ્રેડ પાસ અથવા ડિપ્લોમા ઇન મીકેનીકલ ઓટોમોબાઈલ પાસની તકનિકી લાયકાત ધરાવનારાઓ માટે ડિજિટલ ઇન્ડિયાનાં મંત્ર સાથે અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી અરજી આવકાર્ય છે.

આ ભરતીમેળાનું આયોજન તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ટેક્ષપીન બેરિંગ્સ લીમીટેડ, સ્ટેશન રોડ, રાણપુર ખાતે કરવામાં આવ્યું છે. ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે.

વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા ઈન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment