અમરેલીના બગસરા શહેરમાં મુસ્લિમ એકતા મંચ દ્વારા મામલતદાર નો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

હિન્દ ન્યુઝ, અમરેલી

    અમરેલી જિલ્લાના બગસરા તાલુકા અને શહેર ના મામલતદાર આઈ.એસ.તલાટ નો નિવૃત્તિ સન્માન સમારંભ બગસરા શિવાજી ચોક સોરઠીયા વાડી માં યોજવામાં આવ્યો હતો. આ નિવૃત્તિ વિદાય સમારંભમાં બગસરા શહેરના દરેક મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજરી આપી હતી તેમજ આગેવાનો દ્વારા મામલતદાર આઇ.એસ તલાટ ને શાલ ઓઢાડી તેમજ મુમેન્ટ અને ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. બગસરાના દરેક મુસ્લિમ સમાજના આગેવાનોએ તલાટી ની કામગીરી ને બિરદાવી હતી તેમજ તેમની કામગીરી ખુબ જ સરાહનીય હતી.

આ નિવૃત્તિ સમારંભનું આયોજન મુસ્લિમ એકતા મંચ ના પ્રમુખ ભીખુભાઈ મોગલ, ઉપપ્રમુખ જમાલભાઈ સરવૈયા તેમજ બગસરા દરેક મુસ્લિમ સમાજ માંથી આવેલા આગેવાનો મા રજાકભાઈ, ઈસા ભાઈ ગફાર બાપુ રહીમભાઈ આસ્થાના હનીફભાઇ મેતાજી તેમજ અન્ય મુસ્લિમ સમાજના આગેવાનોએ આયોજનને સફળ બનાવવા મદદરૂપ થયા હતા.

રિપોર્ટર : મનજી પરમાર, બગસરા 

Related posts

Leave a Comment