ચોટીલામાં એરૂડેશ્વર મહાદેવ મંદિરે ૬૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ

હિન્દ ન્યૂઝ, ચોટીલા

                     સતકર્મ ચેરીટેબલ ટ્રસ્ટ ચોટીલા અને એરૂડેસ્વર મહાદેવ ગ્રુપના સંયુક્તે આજે ચોટીલામાં એરૂડેશ્વર મહાદેવ મંદિરે ૬૦ વૃક્ષો નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં કણજી, પીપળો, ઉંબરો, લીમડો, શરૂ, ગુલમહોર, આવળીયો, બીલી, અવન-ચવન વગેરે જેવા વૃક્ષો નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું . જેમાં ધમેન્દ્રસિંહ ગોહિલ, ભગુભાઈ ખાચર, રાજુભાઈ કોટક, બાબભાઈ ખાચર, પ્રદીપસિંહ જાડેજા, શૈલેષભાઈ ઉપાધ્યાય, જોશીભાઈ, મુકાભાઈ પરમાર, નવલસિંહ ઝાલા તેમજ સતકર્મ ચેરીટેબલ ટ્રસ્ટ ના મોહીતભાઇ પરમાર, હિતેશભાઈ સરવૈયા, જયદીપભાઈ પરાલિયા, કુલજીતભાઈ ખાચર, મેહુલભાઈ ખંધાર, દેહાભાઈ ચૌહાણ, વિરમ ઘાંઘળ, ચેતન બારોટ, પ્રશાંતભાઈ ગોહેલ અને અન્ય સભ્યો દ્રારા વૃક્ષોનું વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : અજીત ચાંવ, ચોટીલા

Related posts

Leave a Comment