કોરોના વાઇરસને મહામારીના કારણે દેશ ભરમાં લાગેલ લોક ડાઉન જાહેર થતા ગરીબ પરિવારના અને વર્ગના લોકોને ધંધા રોજગાર બંધ થતા હાલાકીનો સામનો કરવો ના પડે તે માટે તાલુકાના અન અલગ અલગ ગામોમાં લોકોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ની કીટ વિતરણ કરવામાં આવેલ.
માંગરોળ તાલુકાના ઠેલાણા પાંડલ નજીક રહેતા દેવીપૂજક લોકોને માનખેત્રા રહેતા ફકીર સમાજ પરિવારને તેમજ માત્રી વિસ્તારોમાં રહેતા પરીવારને કરપાલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ જીતુ પરમાર તેમજ સરપંચ કાનભાઈ વડલી દ્વારા અનાજ કીટ વિતરણ કરવામાં આવેલ.