હિન્દ ન્યુઝ, લાખણી તા.05-09-2021 લાખણીના કુડા ગામે શ્રી રામેશ્વર મહાદેવ (જુના શંકર) ના મંદિરમાં બિલિપત્ર પર ભગવાન રામ નામ મંત્ર લખી પુજન અર્ચન કરવામાં આવે છે.. પૌરાણિક માન્યતા અનુસાર માતા પાર્વતી એ ભગવાન શિવ ને પ્રસન્ન કરવા કઠોર તપ કર્યું હતું અને ભોળા નાથ ને રીઝવવા માટે બિલિપત્ર પર રામ નામ મંત્ર લખી સૌપ્રથમ વખત ભોળા નાથ ને અર્પણ કર્યા હતા. . તેનાથી પ્રસન્ન થઈ ભોળાનાથે મા પાર્વતી નો પત્ની ના રુપ મા સ્વીકાર કર્યો હતો… રામ ભગવાન શિવ ના આરાધ્ય છે. રામ નામ લખી બિલિપત્ર ચઢાવવાંથી ભોળાનાથ પ્રસન્ન થાય…
Read MoreMonth: September 2021
ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડતી વિરમગામ ટાઉન પોલીસ
હિન્દ ન્યુઝ, વિરમગામ વિરમગામ મદદનીશ પોલીસ અધિક્ષક ડૉ. લોવીના સિન્હા વિરમગામ વિભાગ વિરમગામ ઓના માર્ગદર્શન અનુસાર વિરમગામ ટાઉન પો. સ્ટે વિસ્તારમાં પ્રોહી-જુગારની પ્રવુતિ ઓ સદંતર નેસનાબુદ કરવા પો. સ.ઇ જી.આર.સૈયદ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન નાંઓને ટીમ બનાવી પ્રોહી / જુગાર ડ્રાઇવ અનુસંધાને ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન વિરમગામ ટાવર પાસે આવતા આ.પો.કો.રાકેશકુમાર માધવજીભાઈ નાઓને ખાનગી રહે બાતમી મળેલ કે, વિરમગામ પંડ્યા ફળી ખાતે રહેતા મુકેશભાઈ પ્રશોતમ ભાઈ પટણી (સોની) પોતાનાં મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છૂપાવી રાખેલ છે જે સદર બાતમીના આધારે સદર જગ્યાએ પ્રોહી અંગે રેઇડ કરતા…
Read Moreઉમરાળા તાલુકાના જાળિયા ગામે શિવકુંજ આશ્રમ દ્વારા કોરોના રસીકરણનું આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, ભાવનગર કોરોનાની મહામારીમાં રાજ્ય સરકાર સાથે સમાજસેવી સંસ્થાઓએ પણ ખભો મિલાવીને કામ કર્યું છે.તો ધાર્મિક સંસ્થાઓ પણ તેમાં પાછળ રહી નથી. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના જાળિયા ખાતે આવેલ શિવકુંજ આશ્રમ પણ એક આવો જ સેવાભાવી અભિગમ ધરાવતો આશ્રમ છે. જે સમાજના લોકોની સેવા માટે સદાય તત્પર હોય છે. જાળિયાના શિવકુંજ આશ્રમ દ્વારા તાજેતરમાં આશ્રમ ખાતે કોરોના રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશ સામે જ્યારે કોરોનાની મહામારી પડકાર બનીને ઉભી રહી છે ત્યારે સમાજનો પ્રત્યેક વ્યક્તિ કોરોના ની રસી લઈને થઈ જાય તે અત્યંત આવશ્યક છે કોરોનાની લડાઈ…
Read Moreઆગામી. તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સહકાર પરિસંવાદ યોજાશે
હિન્દ ન્યુઝ, NCUI, ઈફકો, ક્રિભકો, અમુલ, નાફેડ, નાફકબ, નાફસ્કોબ સહિતની સહકારી સંસ્થાઓ ના માધ્યમથી નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સહકાર પરિસંવાદ યોજવામાં આવનાર છે. ખેડૂતોની માલિકીની, ખેડૂતોના પ્રતિનિધિઓ દ્વારા ચાલતી અને ખેડૂતો માટે કાર્યરત, વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઈન્ડિયન ફાર્મરર્સ ફર્ટીલાઈઝર કો-ઓપ. લિ. (ઈફકો) દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું છે. ઇન્દ્રપ્રસ્થ ઇન્ડોર સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે યોજાનાર સમેલનના આયોજન સારૂ NCUI ના ચેરમેન, ઈફકોના વાઇસ ચેરમેન અને સહકારી અગ્રણી દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને દેશના અગ્રગણ્ય સહકારી આગેવાનોની કોર કમિટી રચવામાં આવી છે. આગામી. તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ ઇન્દ્રપ્રસ્થ ઇન્ડોર સ્ટેડિયમ, નવી…
Read Moreમુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ૦ ટકા વ્યાજે સખી મંડળોને રૂા. ૧ લાખના ધિરાણની યોજના મહિલા સશક્તિકરણ માટેનું ઉત્તમ ઉદાહરણ
હિન્દ ન્યુઝ, રાજપીપલા નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયતની મહિલા અને બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી શ્રધ્ધાબેન બારીયા, કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રીમતી મમતાબેન તડવી, આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી નિલામ્બરીબેન પરમાર, શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી શાંતાબેન વસાવા, ગુજરાત બાળ સંરક્ષણ આયોગના પૂર્વ સભ્ય શ્રીમતી ભારતીબેન તડવી, પ્રાંત અધિકારી કે.ડી.ભગત સહિત જિલ્લાના અન્ય પદાધિકારીઓ/અધિકારીઓ અને મહિલા લાભાર્થીઓની ઉપસ્થિતિમાં આજે રાજપીપલામાં ટાઉન હોલ ખાતે નાંદોદ તાલુકાકક્ષાના યોજાયેલા નારી સંમેલનના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે સગર્ભા…
Read Moreસોમનાથ શ્રાવણના અંતીમ સોમવારે ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ શ્રાવણના અંતીમ સોમવારે ભક્તોનો માનવ મહેરામણ સોમનાથ મહાદેવના આશિર્વાદ માટે ઉમટી પડેલ, સોમનાથ ને જોડતા માર્ગો પદયાત્રીઓ ના બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદ થી ગુંજી ઉઠેલ, સોમનાથ મહાદેવને પ્રાતઃશ્વેત પીતાંબર અને ગુલાબ કમળના વિવિધ પૂષ્પહારો થી શૃંગાર કરવામાં આવેલ હતો. સવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્નિ અંજલીબેન રૂપાણી એ મહાદેવના દર્શન કરેલ હતા, કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા એ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. કો-ઓર્ડિનેટર ભાવેશભાઇ વેકરીયા, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ પાલખી પૂજન કરેલ હતું. રાજકોટના એક શિવભક્ત દ્વારા સવાપાંચ કિલ્લો ચાંદી ના ડોલ,…
Read Moreબનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ ના જન્મ દિવસની અનોખી ઉજવણી
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા જિલ્લાના લોક પ્રિય સાંસદ પરબતભાઇ પટેલ સાહેબ ના જન્મ દિવસ નિમિતે થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા ફ્રૂટ અને બીસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે બનાસબેંક ના ડીરેકટર શૈલેષભાઇ પટેલ, થરાદ તાલુકા પંચાયત ના પ્રમુખ દાનાભાઇ માળી,થરાદ શહેર મહામંત્રી પ્રકાશભાઈ સોની, તાલુકા મહામંત્રી અભેરામભાઇ રાજગોર, સરપંચ એસોસીએશન ના પ્રમુખ કાળુંભાઇ પટેલ.વિનોદભાઈ પટેલ, જીલ્લા સોસિયલ મીડીયા ના ઇનચાર્જ શૈલેષભાઇ ચૌધરી માંગરોળ, ઉપપ્રમુખ રસિકભાઈ વાણિયા, યુવા પ્રમુખ પ્રવીણભાઈ માળી, મહામંત્રી નરેશભાઇ પટેલ, શહેર યુવા પ્રમુખ હિતેશભાઈ વાણિયા, મહામંત્રી દેવચદભાઇ સુથાર, આઈ ટી વિનોદભાઇ પટેલ,…
Read Moreગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાવરડા અને પાતાપુર વાડી વિસ્તારમાં વિજ તંત્ર દ્વારા વીજ પોલ ઉભા કરવાની કામગીરી હલકી ગુણવત્તાવાળું કર્યાનો ખેડૂતોનો આક્ષેપ
હિન્દ ન્યુઝ, ઉના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાવરડા અને પાતાપુર વાડી વિસ્તારમાં વીજ તંત્ર દ્વારા વીજ પોલ વાવાઝોડા બાદ પડી ગયા હતા તે વીજ પોલ વીજતંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તેમાં આ વિસ્તારના ખેડૂતોનો એવો આક્ષેપ છે કે વીજપોલ ઊભા કરવાની કામગીરી માં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે કારણ કે આ વિસ્તારમાં હજુ સુધી રેગ્યુલર પાવર ખેડૂતોને મળતો નથી. એવામાં વીજપોલ પડી જવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેમકે હાલ આ વિસ્તારમાં થોડાંક વરસાદ પડવાથી વીજપોલ જે ઉભા કરવામાં આવ્યા હતા તે ખેડૂતોની વાડીમાં…
Read Moreખંભાળિયા ડેપો ખાતે એસ.ટી.મજદૂર સંઘ ની ત્રિમાસિક કારોબારીની મિટિંગ નું આયોજન
હિન્દ ન્યુઝ, ખંભાળિયા ખંભાળિયા ડેપો ખાતે એસ.ટી.મજદૂર સંઘ ની ત્રિમાસિક કારોબારીની મિટિંગ માં ગુજરાત એસ.ટી.મજદૂર મહાસંઘ ના સંગઠન મંત્રી મહેશભાઈ વેકરિયા ના અધ્યક્ષ સ્થાને એસ.ટી.મજદૂર સંઘ જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા ના હોદેદારો ને આવકારી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ તેમજ એસ.ટી.મજદૂર સંઘ મા જુના અને સક્રિય કાર્યકર મિલન ભાઈ રાઠોડ ને એસ.ટી.મજદૂર સંઘ જામનગર મા ઉપાધ્યક્ષ તરીકે ની જવાબદારી સોંપવામાં આવેલ હતી આ કાર્યક્રમ મા જામનગર વિભાગના પદાધિકારીઓ મુળજીભાઈ ચાંડપા, સંજયભાઈ ડોડીયા, રાજકોટ વિભાગના ખજાનચી, હરેશભાઇ ચાઉ તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં જામનગર ની ટીમ દ્વારા આપોજન કરવામાં આવેલ…
Read Moreગુજરાત સરકાર શિક્ષણ વિભાગ જી.નર્મદામા. ૫’મી સપ્ટેમ્બર, શિક્ષક દિન ની ઉજવણી
હિન્દ ન્યુઝ, શૈક્ષણિક વર્ષ 2020/2021ના જીલ્લા/તાલુકાનાં શ્રેષ્ઠ શિક્ષકો ને પારિતોષિ એનાયત કરવા તેમજ નિવૃત્ત થયેલા પ્રાથમિક, માદયમિક ઉ.મા.શાળા, શિક્ષકોને સન્માન કાયૅક્રમ રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે યોજાયો. કાયૅક્રમમાં રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી કુમારભાઈ કાનાણી જીલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ ભાઈ પટેલ, જીલ્લા કલેકટર ડી.જે.શાહ, જીલ્લા વિકાસ અધિકારી, તથા જીલ્લા પંચાયત પ્રમુશ્રી પયુશાબેન વસાવા તથા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, જીલ્લા શિક્ષણ અઘિકારી જયેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો અને જીલ્લા ના સારસ્વત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા
Read More