ભાવનગરમાં આર.ટી.ઓ. સર્કલથી શાસ્ત્રીનગર તરફ જતા રસ્તા/રૂટ પર કોઇ અકસ્માત ન થાય તેમજ ટ્રાફિક નિયમન જળવાય રહે તે માટે ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પડાયુ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર શહેરમાં ભાવનગર-રાજકોટ હાઇવે પર દેસાઇનગર પેટ્રોલ પંપથી આર.ટી.ઓ. સર્કલ સુધી ઓવરબ્રીજ બનાવવાનું કામ શરૂ છે. જેમાં હાલ આર.ટી.ઓ. સર્કલથી શાસ્ત્રીનગર તરફ ઓવરબ્રીજનું કામ શરૂ થયેલ હોવાથી નાના-મોટા તમામ વાહનો આર.ટી.ઓ. સર્કલથી શાસ્ત્રીનગર સોસાયટીમાંથી પસાર થાય છે. જે રસ્તો સાંકડો હોવાના કારણે ટ્રાફીકની સમસ્યા ઉદભવે છે તેમજ આ રસ્તા પર બે સ્કુલો તથા એક પ્લે હાઉસ હોવાના કારણે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી શાસ્ત્રીનગર સોસાયટી રોડ પર કોઇ અકસ્માત ન થાય તેમજ ટ્રાફિક નિયમન જળવાય રહે તે માટે ભાવનગર શહેરનો આર.ટી.ઓ. સર્કલથી શાસ્ત્રીનગર તરફ જતો રસ્તો…

Read More

આણંદ લોકસભા મત વિસ્તારમાં ૧૭,૨૧૪ જેટલા ચૂંટણીમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે

હિન્દ ન્યુઝ, આણંદ      ભારતના ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયા મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટેનું મતદાન સમગ્ર ગુજરાત રાજ્યની સાથે આણંદ જિલ્લામાં આગામી મે મહિનાની ૭ મી તારીખના રોજ યોજાનાર છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અન્વયે ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાનું થાય છે, જેને ધ્યાને લઇ લોકસભાની આ ચૂંટણી કાર્યમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે, સાથો – સાથ આ મતદાર વિભાગમાં જે મતદારોની ઉંમર ૮૫ વર્ષ કરતાં વધારે છે અથવા દિવ્યાંગ મતદાર છે અથવા આવશ્યક સેવામાં આવે છે, તેવા તમામ મતદારો પણ પોસ્ટલ…

Read More

આણંદ લોકસભા સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ

હિન્દ ન્યુઝ, આનંદ ૧૬- આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી માટે આગામી તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. ૧૬- આણંદ લોકસભા બેઠક માટે કુલ ૧૮ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ ૦૭ ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય રહયાં હતા.  નોંધનીય છે કે, આજે તા.૨૨/૦૪/૨૦૨૪ ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે એકપણ ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્ર પરત ન ખેંચાતા, ૧૬- આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી જંગમાં ૦૭ ઉમેદવારો રહ્યા છે. આ ૦૭ ઉમેદવારોને ચૂંટણી અધિકારીશ્રી ૧૬–આણંદ સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર, આણંદ દ્વારા ચૂંટણી માટે પ્રતિક ફાળવી…

Read More

૧૬-આણંદ સંસદિય મતવિસ્તારમાં યોજાયાં‌ મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો

હિન્દ ન્યુઝ, આણંદ     લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ચૂંટણીલક્ષી પ્રક્રિયા અને મતદાન જાગૃતિ અંતર્ગત આણંદ લોકસભા મતવિસ્તારની ચૂંટણીમાં આણંદ જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.          આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેમાં ૧૦૮-ખંભાત વિધાનસભા મતવિસ્તારના ધુવારણ, કણભા અને કલમસર ગામો ખાતે, ૧૦૯-બોરસદ વિધાનસભા મતવિસ્તારના કસુંબાડ, અમિયાદ અને દિવેલ ગામો…

Read More

મતદાન જાગૃતિના અભિયાનમાં ડભાસી ખાતે આવેલી કિસ્મત કાઠીયાવાડી હોટેલ સહયોગ આપશે

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીને ધ્યાને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે અનેકવિધ પ્રયાસ હાથ ધરાયા છે. મતદાર જાગૃતિના જિલ્લા ચૂંટણી તંત્રના પ્રયાસોથી પ્રેરાઈને હવે પેટલાદ તાલુકાના ડભાસી ગામે આવેલી કિસ્મત કાઠીયાવાડી હોટેલ (વાસદવાળા) પણ મતદાન જાગૃતિના કાર્યમાં સહભાગી બન્યા છે. આગામી ૭ મે, મંગળવારના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી લોકોને પ્રોત્સાહિત કરવા માટે કિસ્મત કાઠીયાવાડી હોટેલ એ મતદાનના દિવસે એટલે કે તા. ૦૭/૦૫/૨૦૨૪,…

Read More

મહુવા તાલુકાના ૧૫ હજાર જેટલાં વિદ્યાર્થીઓએ પોસ્ટકાર્ડ લખી વાલીઓને અવશ્ય મતદાન કરવા કરી અપીલ

હિન્દ ન્યુઝ, મહુવા  આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને તા. ૭ મે ૨૦૨૪ના રોજ યોજાનાર મતદાનમા વધુને વધુ નાગરિકો સહભાગી બને તે માટે ભાવનગર જિલ્લા પ્રશાસન દ્વારા અવનવા કાર્યક્રમો હાથ ધરાયા છે.જે અનવ્યે આજરોજ ગારીયાધાર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ગામોમાં મહતમ મતદાન થાય તે માટે મહુવા તાલુકાની શાળાના ૧૫ હજાર જેટલાં વિદ્યાર્થીઓએ તેમના વાલીને પોસ્ટકાર્ડ લખી લોકશાહીના અવસરમાં અવશ્ય મતદાન કરવા, મારો મત-મારૂ ભવિષ્ય, માતો મત- મારો હક લખી લોકશાહીના મહાપર્વમા સહભાગી થવા અપીલ કરી હતી.  

Read More

12- જામનગર સંસદીય મતવિસ્તાર માટે નિમાયેલા ઓબ્ઝર્વરઓને નાગરિકો ફોન કર્યા બાદ રૂબરૂ મળી શકશે

હિન્દ ન્યુઝ, જામનગર      લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે 12-જામનગર સંસદીય મત વિસ્તાર માટે જનરલ ઑબ્ઝર્વર તરીકે હસમત અલી યાતો (IAS), પોલીસ ઑબ્ઝર્વર તરીકે ઉત્તપલ કુમાર નાસ્કર (IPS) અને ખર્ચ ઑબ્ઝર્વર તરીકે અવિજિત મિશ્રા (IRS) ની નિમણુક કરવામાં આવી છે. 12- જામનગર સંસદીય મતવિસ્તારમાં ચૂંટણીને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત માટે નાગરિકો તેમને રૂબરૂ મળી શકશે. અથવા…

Read More

જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ નિરીક્ષક સુમિત ગજભીયેએ બેડીયા અને ધામસીયા ખાતે SST ટીમની કામગીરીનું નિરીક્ષણ કર્યું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર    લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજા તબક્કામાં તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. જિલ્લામાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લામાં જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયેની નિમણૂંક કરવામાં આવી છે. ઓબ્ઝર્વરશ્રીઓ જીલ્લાની વિવિધ ચેકપોસ્ટ ખાતે કાર્યરત એસ.એસ.ટી. ટીમની મુલાકાત લઈને તેમના દ્વારા કરવામાં આવતી કામગીરીનું નિરિક્ષન કરી રહ્યા છે. જે અંતર્ગત જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયે એ બેડીયા અને ધામસીયા ખાતે કાર્યરત એસ.એસ.ટી. ટીમની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા…

Read More

છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગમાં ૫ ઉમેદવારી પત્રો રદ થયા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર    લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૨૧-છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગમાં ત્રીજા તબક્કામાં તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન થનાર છે. જે અંતર્ગત ઉમેદવારો દ્વારા કુલ ૧૮ ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. આજે તા.૨૦/૦૪/૨૦૨૪ ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવતા ૫ ઉમેદવારી પત્રો રદ થાય છે. જેમાં ઉમેશભાઈ રાયસિંહ રાઠવાના ૨ ઉમેદવારી પત્રો, હેમંતકુમાર સુખરામભાઈ રાઠવાના ૨ ઉમેદવારી પત્રો તથા જામસીંગભાઈ હીરાભાઈ રાઠવાનું ૧ ઉમેદવારી પત્ર રદ થયું છે.

Read More

જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ નિરીક્ષક સુમિત ગજભીયેએ કેવડી ખાતે SST ટીમની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજા તબક્કામાં તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લામાં જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયેની નિમણૂંક કરવામાં આવી છે. જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયે એ ૧૩૭-છોટાઉદેપુર વિધાનસભા મતદાર વિભાગના કેવડી ફોરેસ્ટ ચેકપોસ્ટ ખાતે કાર્યરત એસ.એસ.ટી. ટીમની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મુલાકાત સમયે જનરલ ઓબ્ઝર્વર અને ખર્ચ…

Read More