હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં કોળીયાક ખાતે વિશાળ રેત શિલ્પ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આજ રોજ ૧૦૩-ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ભાવનગર તાલુકાના કોળિયાક ગામે જિલ્લા વિકાસ અધિકારી જી. એચ. સોલંકીની ઉપસ્થિતિમાં રેતશિલ્પ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઉપસ્થિત બધા લોકોએ મતદાન અંગેના શપથ લીધા હતા. આ તકે પ્રોબેશનરી આઇ.એ.એસ. અધિકારી આયુષી જૈન, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રણજીતસિંહ કટારીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે. એ. પટેલ, તાલુકા વિકાસ અધિકારી પી. કે. રાવત, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિરલભાઈ વ્યાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે…
Read MoreCategory: Politics
ગારીયાધાર તાલુકાના પરવડી ગામના ૯૬ વર્ષિય તેજુબેન ખેની મતદાર જાગૃતિ કાર્યક્રમમાં બન્યા સહભાગી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના મોજે પરવડી ગામના ૯૬ વર્ષિય તેજુબેન રવજીભાઇ ખેની મતદાર જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી બની મતદારોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. સેલ્ફી ”હું અવશ્ય મતદાન કરીશ” ના શપથ કેમ્પેઇનમાં સહભાગી થઇ તેમણે મતદારોને અચુક મતદાન કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વધુને વધુ મતદારો મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
Read Moreસરકારી ફરજની સાથે રાષ્ટ્ર પ્રત્યેની ફરજ બજાવી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનતાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારી/ કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીના દિવસે ફરજ પર હોય તેવા અધિકારી-કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતુ. આણંદ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા સરકાર ફરજ પરના અધિકારીઓ તથા કર્મચારીઓએ આણંદ મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહીને પોસ્ટલ બેલેટથી મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની ફરજ પણ…
Read More૧૯૯૯ ની લોકસભાની સામાન્ય ચૂંટણીના લેખાજોખા
હિન્દ ન્યુઝ, આણંદ ભારતની આઝાદી બાદની ૧૩ માં ચરણની લોકસભાની સામાન્ય ચૂંટણી ૧૯૯૯ ના વર્ષમાં યોજાઈ હતી. સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ ૨૬ બેઠકો ઉપર ચૂંટણી જંગ ખેલાયો હતો. ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે તા. પ મી સપ્ટેમ્બર-૧૯૯૯ ના રોજ મતદાન થયું હતું, જ્યારે ૬ ઠ્ઠી ઓક્ટોબર-૧૯૯૯ ના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ૧૯૯૯ ના વર્ષમાં ગુજરાતમાં યોજાયેલ લોકસભાની સામાન્ય ચૂંટણીની એક અગત્યની બાબત એ રહી હતી કે, ગુજરાતની ૨૬ બેઠકો ઉપર ઉમેદવારી પત્રો ભરીને ઉભા રહેલા ૧૫૯ ઉમેદવારો પૈકી પ્રત્યેક બેઠકના વિજેતા અને…
Read Moreખંભાતના દરિયાકાંઠે શરૂ અને પારસ પીપળાના રોપાઓનું વાવેતર કરી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી તથા ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાભરમાં મતદાન જાગૃતિના વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં ઈકો ફ્રેન્ડલી વાતાવરણ ઉભું કરીને મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં મદદનીશ ચૂંટણી અધિકારી કુંજલ શાહ દ્વારા ખંભાતના દરિયાકાંઠે ડંકા વિસ્તારમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શરૂ અને પારસ પીપળાનાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં “VOTE…
Read Moreઆણંદ જિલ્લાના ૭ રિસીવિંગ- ડિસ્પેચિંગ સેન્ટરો ખાતેથી ૧૭૭૩ મતદાન મથકો ખાતે ઇવીએમ વિવીપેટ સહિતની ચૂંટણીલક્ષી સામગ્રી રવાના કરવામાં આવશે
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત આણંદ જિલ્લામાં ત્રીજા તબક્કામાં મેં મહિનાની તારીખ ૭ ના રોજ મતદાન યોજાનાર છે, જે અંતર્ગત આણંદ જિલ્લાના ૧૭૭૩ મતદાન મથકો માટે રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો ખાતેથી ઈ.વી.એમ, વીવીપેટ સહિતની ચૂંટણીલક્ષી સામગ્રીઓ પહોંચાડવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, ત્યારે જિલ્લાના સાત મતદાર વિભાગો માટેના રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો પરથી ઈ.વી.એમ, વીવીપેટ સહિતની ચૂંટણીલક્ષી સામગ્રીઓ પહોંચાડવામાં આવશે. જેમાં…
Read Moreમહીસાગર જિલ્લા કલેકટરની કેપ્ટનશીપમાં મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર શ્રીમતી નેહાકુમારીની કેપ્ટનશીપમાં મતદાન જાગૃતિ માટે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સ્ટાફ ક્વાટર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના પ્રારંભે મતદાર જાગૃતિ પ્રતિજ્ઞાનું વાંચન કરાયું હતું. આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા કલેકટર શ્રીમતી નેહાકુમારીની કલેકટર કચેરીની મહિલા ટીમ સામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ચંદ્રિકાબેન ભાભોરની ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી જેમાં કલેકટર ટીમનો વિજય થયો હતો. જિલ્લા તંત્રના અધિકારીઓ કર્મચારી અને પરિવારજનોની ઉપસ્થિતિમાં વિજેતા ટીમ, રનર્સ અપ ટીમ અને વિમેન ઓફ ધી મેચને જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ,…
Read Moreમતદાન/મતગણતરીના દિવસે દારૂ કે તેના જેવા અન્ય નશાકારક પદાર્થોના વેચાણ કરવા,વહેંચવા કે પીરસવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ
હિન્દ ન્યુઝ, મહીસાગર સમગ્ર મહીસાગર જિલ્લા વિસ્તારમાં ચૂંટણી માટે મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલાનો સમયગાળો એટલે કે, તા.૦૫/૦૫/૨૦૨૪ ના સાંજના ૦૬:૦૦ કલાકે થી તા.૦૭/૦૫/૨૦૨૪ ના સાંજના ૦૬:૦૦ કલાક સુધી અને મતગણતરીનો દિવસ એટલે કે, તા.૦૪/૦૬/૨૦૨૪નો દિવસ(આખો દિવસ) આ દિવસોએ દારૂ કે તેના જેવા અન્ય નશાકારક પદાર્થોના વેચાણ કરવા/ વહેંચવા પીરસવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે. આ ઉપરાંત જે હોટલો, રેસ્ટોરન્ટ કે કલ્બો વિગેરે કે જેને દારૂ વેચવાનું લાયસન્સ આપવામાં આવેલ હોય તો પણ ઉપરોક્ત સમયગાળા દરમિયાન દારૂ કે તેના જેવા અન્ય નશાકારક પદાર્થોના વેચાણ કરવા / વહેંચવા /…
Read Moreજામનગર જિલ્લાના પેન્શનરોએ લગત બેંક ખાતે હયાતીની ખરાઈ કરાવવાની રહેશે
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા તિજોરી કચેરી તથા તાબાની પેટા તિજોરી કચેરીમાંથી IRLA સ્કીમ હેઠળ બેંક મારફત ગુજરાત રાજ્ય સરકારનું તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર, જામનગર જિલ્લાના તમામ પેન્શનરોએ માહે મે, જૂન તથા જુલાઈ-2024 દરમિયાન જે બેંક બ્રાંચ મારફત પેન્શન મેળવતા હોય, તો તે બ્રાંચમાં જઈને તેમની હયાતીની ખરાઈ કરાવવાની રહેશે. હયાતીની ખરાઈ અંગેના ફોર્મમાં દરેક પેન્શનરોએ અત્રેની કચેરીના પીપીઓમાં કરેલી સહીના નમૂના મુજબની સહી કરવાની રહેશે. તેમજ લાગુ પડતા કિસ્સામાં ફેમિલી પેન્શનરોએ લગ્ન/પુનઃલગ્ન અને ફરી સરકારી નોકરીમાં જોડાયેલા હોય…
Read Moreલાલપુર ખાતે 128 કર્મચારીઓ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થયા
હિન્દ ન્યુઝ, લાલપુર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે તા.૭મી મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ થકી મતદાન પ્રક્રિયા યોજવામાં આવી છે. મતદાનના દિવસે મતદારો સુચારૂ રીતે મતદાન કરી શકે તે માટે ફરજ પર તૈનાત રહેનાર પોલીંગ સ્ટાફ દ્વારા સ્વામી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ ખાતે ઉભા કરવામાં આવેલ પોસ્ટલ બેલેટ મતદાન કેન્દ્ર ખાતે પ્રાંત અધિકારી શ્રી અસવાર સહિત કુલ 128 અધિકારી તથા કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ થકી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીની પવિત્ર અને નૈતિક ફરજ…
Read More