રાજકોટ,
તા.૨૫.૪.૨૦૨૦ ના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્ની અને રાજકોટ શહેર ભાજપના મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીનો આજે જન્મદિવસ છે. આજે રાજકોટ સહિત રાજ્યભરમાંથી તેમના પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે. અંજલીબેન રૂપાણી વિજયભાઇ રૂપાણીની જેમ જ તરુણવયથી સંઘ અને વિદ્યાર્થી પરિષદ તેમજ ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો ધરાવે છે. અને વિજયભાઇના જીવનને અનુલક્ષીને જો જોવામાં આવે તો વિજયભાઇની દરેક સફળતા પાછળ અંજલીબેન રૂપાણીનો ખાસ હાથ છે. અંજલીબેન રૂપાણી પુજીત રૂપાણી ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી રહ્યા છે. અગાઉ તેઓ અખિલ ભારતીય વિઘાર્થી પરિષદના પ્રચારક તરીકે બે વર્ષ સુધી ફરજ બજાવી ચુકયા છે. બહેનોના સ્વરક્ષણ કેળવવા અને સમાજ સેવાના તેમજ બાળકોના વિકાસ માટે વિવિધ પ્રવૃતિ કરી રહ્યા છે. ઉપરાંત દર મહિને બે મેડીકલ કેમ્પનું પણ નિ:શુલ્ક આયોજક કરે છે. આજે તેમના જન્મદિવસ નીમીતે પરિવાર હાર્દિક શુભકામના પાઠવે છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ