તરસાડીમાં સરદારબાગથી દાદરી ફળિયા સુધી ૬૦૦ મીટર લાંબા તિરંગા ધ્વજ સાથે આદિજાતિ વિકાસ મંત્રીની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ

હિન્દ ન્યુઝ, માંગરોળ         માંગરોળ તાલુકાની તરસાડી નગરપાલિકા દ્વારા ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણીના ભાગરૂપે તરસાડીના દાદરીફળિયા ખાતે આદિવાસીના મસીહા ભગવાન બિરસા મુંડાજીની ભવ્ય પ્રતિમાનું આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે અનાવરણ તેમજ તરસાડીમાં ‘તિરંગા સર્કલ’નું ખાતમૂહુર્ત અને રૂ. ૫૦ લાખના ખર્ચે નવનિર્મિત ભગવાન બિરસા મુંડા બાળ ઉદ્યાનનું લોકાપર્ણ કરાયું હતું. સાથોસાથ તરસાડીમાં સરદારબાગથી દાદરીફળિયા સુધી ૬૦૦ મીટર લાંબા તિરંગા ધ્વજ સાથે આદિજાતિ વિકાસ મંત્રીની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમીઓ જોડાયા હતા. મંત્રી નરેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે,…

Read More

નર્સિંગ એસોસિએશન દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉમંગભેર ઉજવણી

હિન્દ ન્યુઝ, સુરત સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા સૌપ્રથમવાર ‘તા.૯મી ઓગસ્ટ: વિશ્વ આદિવાસી દિવસ’ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. સિવિલ પરિસરમાં કેક કાપીને તેમજ પુષ્પઅર્પણ કરીને આ પ્રકારની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌએ પરસ્પરને શુભેચ્છા પાઠવી હતી. સાથોસાથ હર ઘર તિરંગા અભિયાનને અનુલક્ષીને સૌએ રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રભાવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, સમગ્ર નર્સિંગ સ્ટાફે કોવિડ મહામારીમાં પરિવારથી દૂર રહીને જીવના જોખમે કોવિડ દર્દીઓ તેમજ આમ નાગરિકો માટે આરોગ્ય સેવા બજાવી છે, જેની સમગ્ર વિશ્વએ નોંધ લીધી…

Read More

ફોકીઆના સભ્ય એકમો દ્વારા પશુઓને લમ્પી સ્કિન ડિસીઝ (એલએસડી) થી બચાવવા માટે ૧ લાખ ૬૦ હજાર વેક્સીનના ડોઝ તંત્રને આપવામાં આવ્યા

લમ્પી ચર્મ રોગ વાયરસ-૨૦૨૨ – સારવાર અને માનવતા હિન્દ ન્યુઝ, ભુજ ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એશોશીયેશન – ફોકીઆના સભ્ય એકમોએ સીએસઆર અંતર્ગત ખર્ચ કરીને ૧ લાખ ૬૦ હજાર જેટલા ગોટ-પોક્સ રસીના ડોઝ ખરીદી નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. હરેશ ઠક્કરને સુપ્રત કર્યા. લમ્પી સ્કિન ડિસીઝ (એલએસડી) ના લીધે છેલ્લા એક મહિનામાં રાજસ્થાન અને ગુજરાતમાં લગભગ હજાર ઉપરાંત જેટલા ગાય સંવર્ધનના પશુઓ માર્યા ગયા છે અને વાયરલ ઇન્ફેક્શનથી થતા મૃત્યુને કારણે પશુપાલકોમાં ભય ફેલાય રહ્યો છે ત્યારે આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લેતા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણા ડી.કે. અને નિવાસી અધિક કલેક્ટર…

Read More

મહિલા કર્મયોગીઓ સમગ્ર જાણકારી મેળવો અને સમસ્યાનો નિડરતાથી સામનો કરો : જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા

હિન્દ ન્યુઝ, બોટાદ સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ખુબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા નારી વંદન ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત બોટાદમાં સક્ષમ નારી, સશક્ત ગુજરાતના શુભ આશય સાથે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલા કર્મયોગીઓ માટે કામકાજના સ્થળ પર થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય સેમિનાર યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા અને ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક મુકેશભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે,…

Read More

બોટાદમાં કલા મહાકુંભ સ્પર્ધાનું ભવ્ય આયોજન: કલારસિકો ૨૩ ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકશે

હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, બોટાદ દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લાકક્ષાએ આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે ઓફ લાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૨૩ ઓગસ્ટ છે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૦ જેટલી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં તાલુકા કક્ષાએ થી શરૂ થતી કુલ ૧૪ કૃતિ જેમાં સમૂહગીત, ગરબા,…

Read More

જસદણમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો

હિન્દ ન્યુઝ, જસદણ જસદણ શાક માર્કેટિંગ ની અંદર આવેલ શિવમ કોમ્પલેક્ષમા દુકાનોનાં તાળા ના તોડી 8 જેટલી દુકાનોમાં ચોરી થઈ દુકાનો માંથી રોકડ રકમ સહિત માલ મતાની ચોરી થતા દુકાન માલિકના જણાવ્યા પ્રમાણે શ્રી કટલેરીની દુકાનમાથી ત્રણ હજાર જેવી રોકડ તેમજ બીજી સાડીની બે દુકાનમાંથી રોકડ રકમ અને કીમતી સાડી ઓની ચોરીથઇ હોવાનુ જણાવેલ વહેલી સવારે દુકાનોના માલિક દુકાને આવતા દુકાનના તાળા તૂટેલા હોય દુકાન માલિકોએ જસદણ પોલીસને જાણ કરતા સ્થળ પર પોલીસ પહોંચી બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Read More

શ્રીમતી કે એ પટેલ ગર્લ્સ હાઇસ્કુલ ચાણસ્મા ખાતે ભારતમાતા પૂજન તથા તેજસ્વી વિદ્યાર્થીનીઓને એવોર્ડ સન્માન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, પાટણ          આપણા દેશમાં આઝાદી પ્રાપ્તિના 75 વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી થઈ રહ્યી છે તેના ભાગરૂપે પહેલી ઓગસ્ટના રોજ ભારત માતા પૂજન નો કાર્યક્રમ શારદાબા સંસ્કાર ભવન, ચાણસ્મા ખાતે યોજાયો હતો આ પ્રસંગે ચાણસ્મા નગરના ગાંધીવાદી શ્રેષ્ટી શ્રી નાથાભાઈ જે સથવારા તથા ચાણસ્મા કેળવણી મંડળના મંત્રીઓ બચુભાઈ એચ પટેલ, કુમારી શોભનાબેન બી પટેલ તથા શ્રેષ્ઠ એવોર્ડ ના દાતા શાહ ચંદ્રાવતીબેન મહાસુખલાલ ત્રિકમલાલ પરિવારના ચેતનભાઇ શાહ હાજર રહ્યા હતા. મહેમાન ઓ દ્વારા ભારત માતાના ફોટાનું પૂજન કરવામાં આવ્યું હતું…

Read More

ધ્રાંગધ્રાના હરિપર બ્રિજ પાસે ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન સાથે બોલાવી રામધુન 

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હરીપર બ્રિજ પાસે ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન સાથે રામધૂન બોલાવી હતી હરિપર અને રાજગઢ ગામના ખેડૂતોને ખેતરોમા જવાના રસ્તાઓ એલ.એન.ટી તથા સરકારી તંત્ર દ્વારા બંધ કરતા ખેડૂતો ને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે જ્યારે હરિપર ગામના સરપંચ છે કલેક્ટર ઉપર કરી રહ્યા છે આક્ષેપ. કલેકટર કચેરીમાંથી રસ્તા બાબતે અગાઉ સરપંચની સહી લઈ ને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે એક નવું જ વળાંક સરપંચ દ્વારા કલેક્ટરે અંધારામાં રાખીને સહી લીધી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે આપશે જ્યારે અહીંયા સરપંચની બેદરકારી…

Read More

ભાવનગરના મોતીબાગ વિસ્તારની લાલ બહાદૂર શાસ્ત્રી પ્રાથમિક શાળા ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત

હિન્દ ન્યુઝ, ભાવનગર       વંદે ગુજરાત વિકાસ યાત્રાના આજના ચોથા દિવસે ભાવનગરના મોતીબાગ વિસ્તારમાં યાત્રાનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અંગે મોતીબાગ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળે જણાવ્યું કે, કેન્દ્ર સરકારની નીતિઓએ લોકોના જીવનમાં ધળમૂળથી પરિવર્તન લાવવાનું કાર્ય કર્યું છે. સામાન્ય લોકોનું જીવન સુધરે અને તે બહેતર થાય તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દિવસ રાત મહેનત કરે છે તેના કારણે આ શક્ય બન્યું છે.     તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાનના કારણે આજે આપણાં દેશની પ્રતિષ્ડા વિશ્વભરમાં ઉભી થઇ છે ત્યારે આપણી ફરજ છે…

Read More

વર્ષો પહેલાં ચોમાસુ પાકનાં ફાંફાં હતા આજે ૩ વીઘા જમીનમાં કમલમની ખેતી કરતાં માલણકા ગામનાં ખેડૂત

હિન્દ ન્યુઝ, ભાવનગર   નર્મદા નીર ગામે ગામ આવી પહોંચતા ખેડૂતોને હવે ચોમાસા પર નિર્ભર રહેવું પડતું નથી. ગામમાં જ દરેક સુવિધા ખેડૂતને સરળતાથી મળી રહે તેવી ઉપલબ્ધિઓ રાજ્ય સરકાર દ્વારા સરળતાથી કરાવવામાં આવી રહી છે. વાત છે ભાવનગર નજીક આવેલા માલણકા ગામે રહેતા ખેડૂત પુત્ર શ્રી જીગરભાઈ બારૈયા કે જેમને પિતા દ્વારા એવું કહેવાતું કે, વર્ષો પહેલાં ખેતરમાં ચોમાસુ પાક લેવા માટેનાં પણ ફાંફાં હતા જ્યારે છેલ્લાં ૨૦ વર્ષમાં વિકાસ ગામડામાં પણ થયો છે નર્મદા નીર ગામડા સુધી પહોંચતા હવે ખેડૂતને વરસાદી પાણી પર નિર્ભર રહેવું પડતું નથી પરંતુ…

Read More